જે વાત – આદિલ મન્સૂરી
જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં
નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.
યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.
નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.
– આદિલ મન્સૂરી
nehal said,
February 24, 2014 @ 4:22 AM
Vaah…..
perpoto said,
February 24, 2014 @ 4:56 AM
દર્પણ હતાં
દરવેશ તો ન્હોતા
ધુંધળા થયાં
narendrasinh said,
February 24, 2014 @ 4:56 AM
નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં. અતયન્ત સુન્દર
ધવલ said,
February 24, 2014 @ 9:07 AM
નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.
– સરસ !
Maheshchandra Naik (Canada) said,
February 24, 2014 @ 2:45 PM
સરસ ગઝલ, આદિલ મન્સુરીને સલામ…………….
Harshad said,
February 24, 2014 @ 9:33 PM
સરસ ગઝલ .
સુનીલ શાહ said,
February 25, 2014 @ 11:30 PM
સરળ છતાં ગહન અભિવ્યક્તિ.