ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા

હિંસક રાત્રિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

હિંસક રાત્રિ ચુપચાપ આવે છે,
બળ જેનું ચાલ્યું ગયું છે
એવા
શરીરના શીથીલ આગળા ભાંગી નાખીને
અંતરમાં પ્રવેશ કરે છે,
જીવનના ગૌરવનું રૂપ હર્યા કરે છે.
કાલિમાના આક્રમણથી મન હારી જાય છે,
એ પરાભવની લજ્જા, એ અવસાદનું અપમાન
જયારે ઘનીભૂત બની જાય છે,
ત્યારે એકાએક દિગંતમાં સ્વર્ણકિરણની
રેખા આંકેલી દિવસની પતાકા દેખા દે છે;
જાણે
આકાશના કોઈ દૂરના કેન્દ્રમાંથી ‘મિથ્યા મિથ્યા’ કહેતો
ધ્વનિ ઊઠે છે.
પ્રભાતના પ્રસન્ન પ્રકાશમાં જીર્ણ દેહદુર્ગના શિખર ઉપર
પોતાની દુઃખ-વિજયીની મૂર્તિ જોઉં છું.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

કોઈકવાર આજકાલ જે ગરમ ભજીયાની જેમ વેચાય છે તેવી કહેવાતી ‘સેલ્ફ હેલ્પ’ ની બુક્સ ઉથલાવવાનું બને છે ત્યારે અત્યંત આઘાત સાથે એ હકીકત નજરે ચડે છે કે આવી ઘણી ચોપડીઓમાં હળાહળ negative emotions ને બિન્ધાસ્ત ઉત્તેજન આપવામાં આવતું હોય છે જેમ કે – ‘ તમારાથી સફળ વ્યક્તિની ઈર્ષ્યા તમારે માટે વિકાસનું ઇંધણ સમાન હોય છે.’ ‘પ્રત્યેક વ્યક્તિમાં jealousy હોય જ છે.’ ‘ પોતાની સિદ્ધિ માટે અભિમાન હોવું સ્વાભાવિક છે.’ ‘ સમાજ આગળ તમારી સિદ્ધિઓને જેટલી અસરકારક રીતે રજૂ કરશો તેટલા તમે વધુ સફળ’ ‘ સાચા હોવું એટલું મહત્વનું નથી કે જેટલું મહત્વનું સાચા લાગવું મહત્વનું છે’ ‘વ્યક્તિ જેટલી વધુ competitive હોય તેટલી તે વધુ ક્રોધી જ હોય’ etc etc etc !!!!!

negative emotions નું આવું ભયાનક અને જઘન્ય glorification કોણ જાણે કેટલા immature માનસમાં ઝેર ભરી દેશે ! આ કાવ્યમાં negative emotioms સામેના સંઘર્ષની વાત છે. પ્રત્યેક પળે જે જાગૃત છે, watchful છે, તે જ બચી શકશે .

ભગવાન બુદ્ધને આનંદે પૂછ્યું હતું- આપ તો બુદ્ધ છો, તો હજુ પણ આપ સતત શેનું ધ્યાન ધરતા હો છો ? – બુદ્ધે કહ્યું હતું – બુદ્ધત્વ પ્રત્યેક ક્ષણે અર્જિત કરવાનું હોય છે,એક વાર પ્રાપ્ત કરી લેવાથી કંઈ કામ પતી નથી જતું. સભાનતામાં જો જરાપણ શિથીલતા આવે તો ક્ષણાર્ધમાં જ desires ની નાગચૂડમાં હું ફસાઈ શકું છું.

6 Comments »

  1. Rina said,

    January 13, 2014 @ 3:41 AM

    Awesome
    ….

  2. Dhaval said,

    January 13, 2014 @ 7:50 PM

    સરસ !

  3. Harshad said,

    January 13, 2014 @ 9:15 PM

    સુન્દર !!

  4. ravindra Sankalia said,

    January 14, 2014 @ 6:41 AM

    નેગેટિવ ઇમોશન્સનો સામનો કેવી રીતે કરવો? સતત જાગ્રત રહીને. ઇટર્નલ વિજિલન્સ.ટાગોરનુ સરસ ગીત્ ખુબ ગમ્યુ.

  5. mahesh dalal said,

    January 14, 2014 @ 2:09 PM

    સરસર્ ર્જુઆત દરેક નો અનુભવ પ્ણ સચે નબ્લૈ ને જાણિ કબિ.?

  6. डो. अपूर्व कान्हेरे said,

    January 16, 2014 @ 2:08 AM

    साच्ुं सारु वाांचवा मले ते माटे नुं अनमोल स्थान- लय स्तरो ।

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment