આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?
વિવેક મનહર ટેલર

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે

મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે

પંથ ભૂલ્યાનો ભરોસો ઈશ્વરો પણ ના કરે
જન્મ લઈ પ્રત્યેક જીવ એના શરણથી નીકળે

ડૂબનારા તો વજન ખુદનુંય છોડીને જતા
જે તરે, એને ખબર શું શું તરણથી નીકળે

વૃક્ષ પણ એની અસરથી ગાઢ મૂર્છામાં ઢળે
આખરી નિઃશ્વાસ જ્યાં ખરતા પરણથી નીકળે

– કુમાર જૈમિની શાસ્ત્રી

મનનીય ગઝલ…

 

4 Comments »

  1. મયન્ક ત્રિવેદિ said,

    November 8, 2013 @ 3:39 AM

    ખુબ જ સરસ રચના

  2. narendarsinh said,

    November 8, 2013 @ 5:09 AM

    અતિ સુન્દર , દરેક વાક્ય નો સુન્દર ભાવ્,

  3. B said,

    November 8, 2013 @ 5:16 AM

    From the beginning to the end it is just superb. I love it.

  4. Harshad Mistry said,

    November 12, 2013 @ 8:55 PM

    Beautiful, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment