વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

દૂર બહુ એ દિવસ નથી – અમૃત ઘાયલ

મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !

વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.

મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.

પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.

‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.

– અમૃત ઘાયલ

આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…

6 Comments »

  1. Rina said,

    September 7, 2013 @ 2:13 AM

    Awesome……

  2. Laxmikant Thakkar said,

    September 7, 2013 @ 7:52 AM

    સરસ !

    “વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
    ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.”

    આ તો માણસ એક સામાજિક પ્રાણી છે …કારણ કે
    સમ્બંધાયા વિના તેને ચાલે જ નહીં ને ?
    પોતાની જ વસ્તી જ્યારે અ-સહ્ય બને ત્યારે ….
    પોતાને જ જ્યારે “ફેસ”[સામનો] ન કરી શકે ત્યારે …
    આવું ભાસે …

    “પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
    પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.”

    આ વાત તો સાચી જ !!!
    -લા’કાંત / ૭-૯-૧૩

  3. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    September 7, 2013 @ 10:11 AM

    મૌસમ સરસ હોય પણ “સ- રસ” ન હોય એટલે કે તેની “તરસ”નહોય તો સરસ મૌસમ નો કોઈ અર્થ નથી! એવીજ રીતે ” “વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
    ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.” મૌસમ નો આનંદ જેમ રસ વગર – તરસ વગર ન માણી શકાય તેમ “ઘર” ની વ્યાખ્યા તેમાં રહેતી “વસ્તી” જે મોટેભાગે કુટુંબ કે ફેમિલી ની વ્યાખ્યામાં આવતી અંગત વ્યક્તિઓ તો ખરીજ, ઉપરાંત , શ્રી સુરેશ એન. શાહ ,સીંગાપોર, કહે છે તેમ – એવું ઘર જ્યાં ” હાશ” ની ” આશ” સદા રહે – હંમેશ નો મીઠ્ઠો આવકાર રહે એને જ ઘર કહેવાય! અને આ ત્યારેજ શક્ય બને કે જ્યારે ઘર માં રહેતાં સૌ ” સભ્ય” ખરા અર્થ માં “સમજણ” સાથેના ” સભ્ય ” એટલેકે સુ માહિતગાર અને શિક્ષિત જ નહીં ” પ્રતિબદ્ધ ” પણ હોય, અને ” નાની નાની બાબતો કરતાં જીવન અમૂલ્ય છે ” એવી સમજણ ધરાવતા હોય! બાકી તો ….
    “પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
    પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.”

  4. Maheshchandra Naik (Canada) said,

    September 7, 2013 @ 11:19 AM

    સરસ ગઝલ્,……

  5. perpoto said,

    September 7, 2013 @ 12:18 PM

    ક્યાં તરસ હતી….
    જીદે છતાં મોત ચઢ્યું….

  6. Hasit Hemani said,

    September 7, 2013 @ 2:40 PM

    મોસમ પણ સરસ છે અને તરસ પણ ઘણી છે

    કેવી સિફતથી લીધી છે નસ મારી તેણે પકડી,
    થાય છે મન એવું ઘણુ, ક્યારે લઉં તેને જકડી..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment