બક્ષિસ – સુન્દરમ્
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.
– સુન્દરમ્
પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?
perpoto said,
August 2, 2013 @ 3:19 AM
સાચો કલાકાર નિજાનંદ માટે સર્જન કરે છે….
કલા જ્યારે વેચાવા નીકળે છે,ત્યારે મુસીબત ઊભી થાય છે…