જીવ તો ચાલ્યો ગયો છે ક્યારનો,
શ્વાસની છે આવ-જા કારણ વગર.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઓછું પડે – ભરત વિંઝુડા

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…

7 Comments »

  1. Rina said,

    May 18, 2013 @ 1:42 AM

    વાહહ……

  2. મનહર એમ.મોદી ('મન' પાલનપુરી) said,

    May 18, 2013 @ 2:09 AM

    કેટંલી તકલીફ પડતી હોય છે
    સાવ સાચું બોલવાનું આવડે

    કેવી સરસ વાત સાવ સરળ શબ્દોમા ! સરસ ગઝલ..

  3. Maheshchandra Naik said,

    May 18, 2013 @ 3:13 AM

    ભક્ત અને ભગવાન તથા પ્રેમીઓની એક્બીજા સાથેની પરસ્પરની લાગણીઓને ઝીલવાની વાત લઈ આવતી સરસ ગઝલ…………….

  4. narendrasinh chauhan said,

    May 18, 2013 @ 3:48 AM

    તારી મૂર્તિઓ મને દેખાય છે
    મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે ખુબ સુન્દર વાહ્

  5. perpoto said,

    May 18, 2013 @ 5:04 AM

    હવે જાણે દરેક કવિ સંત થઇ ગયાં હોઇ એવું જણાય છે.

  6. La'Kant said,

    May 18, 2013 @ 5:08 AM

    “સોળ વરસનો એક જ ટહૂકો”=”મૂછનો દોરો ફૂટ્યો”.
    “મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે….”
    છેવટે ,મનની તાકાત અને સામર્થ્ય નુ રહસ્ય સમજાવે છે…
    તે ક્યાંથી ક્યાં સુધી લઇ જઈ શકે છે?

    “હું જ મારી સામે આવી જાઉં છું,
    કોણ બીજું સામે આવીને લડે ” = { બધું જ અનુકૂલ મને,એક હુંજ પ્રતિકૂલ મને ! (અજ્ઞાત) }

    -લા’કાન્ત / ૧૮-૫-૧૩

  7. Sakshar said,

    May 20, 2013 @ 2:16 PM

    કેટલી તકલીફ પડતી હોય છે
    સાવ સાચું બોલવાનું આવડે

    સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment