ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.
વિવેક મનહર ટેલર

મુક્તક – રાજેન્દ્ર શાહ

ઘરને ત્યજી જનારને
.           મળતી વિશ્વ તણી વિશાળતા.

-રાજેન્દ્ર શાહ

મુક્તક એટલે મોતી. મોતી એટલે અતાગ દરિયાના તળિયે પોઢેલી એક છીપની પાંપણનું સમણું. ક્યારેક એક મોતીમાં એક આખો સમંદર ભર્યો પડ્યો હોય છે. એક જ લીટીના આ મુક્તકનો વિચાર વિસ્તાર કરવો હોય તો?

5 Comments »

  1. Pinki said,

    November 10, 2007 @ 2:26 PM

    નાનું પણ નાનાવિધ ……અર્થ ધરાવતું સુંદર મુક્.તક

    વિચાર વિસ્તારમાં ફરી નિબંધ લખાય જશે …….!!

  2. pragnajuvyas said,

    November 11, 2007 @ 10:51 AM

    અજ્ઞાતનું કહેવું છે- તું બસેરા (ઘર) છોડ અન વિશ્વ તારું બનાવ

    વ્અત્’નહીં હૈ તેરા નશેમન
    કશરે સુલતાની કે ગુબંદ પર
    તુ શાહી હય બશેરા કર
    પહાડોંકી ચટાનોં પર’

  3. tridiv said,

    November 13, 2007 @ 2:02 AM

    બહુ સુન્દર્

  4. Atul Jani (Agantuk) said,

    November 13, 2007 @ 5:07 AM

    તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
    મને મળ્યો અગાધ આતમ દરિયો.

  5. 'ભભાઈ' ભરત પાઠક said,

    April 27, 2015 @ 7:19 PM

    વિયોગિની છંદમાં લખાયેલું આ મુક્તક કાનથી વાંચતાં ખ્યાલ આવ્યો કે પહેલી પંક્તિમાં સ્હેજ છાપ-ભૂલ લાગે છે; કદાચ મૂળ આમ હશે?

    “ઘરને ત્યજીને જનારને” ?

    ‘ત્યજી’ હોય તો છંદ લથડે; એવી શિથિલતા રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં કદી જોવા મળી નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment