ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

સત્ય – કનૈયાલાલ સેઠિયા

રસ્તો
પગનો
શિષ્ય છે.

જેઓ
ગણે છે
એને ગુરુ
એમને

નથી
મળતો
મુકામ !

– કનૈયાલાલ સેઠિયા
(અનુ. કિશોર શાહ)

તેર શબ્દોમાં તો કવિએ આખી જીંદગી ચાલે એટલું ભાથું ભરી દીધું છે ! એક રીતે જુવો તો આ કવિતાનો બૃહત અર્થ રોબર્ટ ફ્રોસ્ટની વિખ્યાત કવિતા The Road Not Taken ને મળતો આવે છે. એ કાવ્ય પણ જોવાનું ચૂકશો નહીં.

4 Comments »

  1. વિવેક said,

    June 12, 2007 @ 6:50 AM

    તેર શબ્દોમાં સાચે જ જાણે જીંદગીની ગીતા કહી નાંખી… સુંદર કાવ્યચયન, ધવલ… કનૈયાલાલ સેઠિયાનો થોડો પરિચય આપ્યો હોત કે મૂળ ભાષા જણાવી હોત તો માહિતી વધુ સભર લાગત…

  2. સુરેશ જાની said,

    June 12, 2007 @ 9:31 AM

    રોબર્ટ ફ્રોસ્ટની કવીતાની છેલ્લી બે પંક્તીઓ ખબર હતી, પણ આખી કવીતા પહેલી જ વાર વાંચી. બહુ જ સરસ વાત કહી.
    આભાર !
    ગુરુપ્રથાએ વીશ્વમાં જે વીનાશ સર્જ્યો છે, તે કદાચ ચંગીઝખાન કે હીટલર જેવાએ પણ નહીં સર્જ્યો હોત. પોતાનો રસ્તો પોતે જ બનાવતી વીભુતીઓને લોકો રસ્તો બતાવનાર બનાવે છે, તે માનવજીવનની કેટલી મોટી પામરતા છે?

  3. સુરેશ જાની said,

    June 12, 2007 @ 9:32 AM

    અરે ભાઇ ! નકામા શબ્દો ગણ્યા , તેરના આંકડાને વાંચીને લોકો આને અપનાવતાં અચકાશે !!!

  4. ધવલ said,

    June 12, 2007 @ 11:09 AM

    વિવેક, કનૈયાલાલ સેઠિયાની વધારે રચનાઓ મેં વાંચી નથી. એ રાજેસ્થાની ભાષાના અગ્રગણ્ય કવિ છે. સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર બંને એમને મળેલા છે. એમના વિષે વધારે માહિતી લાયબ્રેરી ઓફ કોંગ્રેસની વેબસાઈટ પર છે ( http://www.loc.gov/acq/ovop/delhi/salrp/kanhaiyalalsethia.html )

    અને સુરેશભાઈએ ગુરુપ્રથાની વાત કાઢી એટલે ઝેન વિચારધારાનું પ્રખ્યાત વાક્ય યાદ આવી ગયું – If you meet Buddha on the road, kill him ! સત્યની શોધમાં બુધ્ધને પણ બાજુ પર રાખી દેવાની એમા સલાહ છે. ખરો રસ્તો તો દરેક માણસે પોતાના માટે પોતે જાતે જ શોધવાનો હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment