એટલે તો ફૂલ ખીલ્યા સ્વપ્નનાં,
આંસુ ભીનું આંખનું આંગણ હતું.
બી.કે.રાઠોડ ‘બાબુ’

પથ્થરોમાં લકીર બોલે છે – મનસુખવન ગોસ્વામી

લેખિની ક્યાં લગીર બોલે છે?
બસ, શબદનું શરીર બોલે છે.

એ જ માણસ અલગ તરી આવે
એનું જ્યારે ખમીર બોલે છે!

બુઝર્ગતા ધૂંધવાય છે ત્યારે,
કોઈ તણખો સગીર બોલે છે.

બંધ ધબકાર બે’ય હૈયાના:
બાળપણની તસ્વીર બોલે છે.

ઓસરે છે લકીર પાણીમાં,
પથ્થરોમાં લકીર બોલે છે.

છેવટે સોનું તો રહે સોનું ,
આ નકામુ કથીર બોલે છે.

છે ફક્ત પ્રેમપંથ ફુર્તિલો,
કવિના વેશે કબીર બોલે છે.

– મનસુખવન ગોસ્વામી

પાણી પર કાંઈ લખી શકાતું નથી. પાણીમાં સહજ સરકી જતી લકીર છેવટે પથ્થર પર જઈને બોલે છે.

5 Comments »

  1. sudhir patel said,

    November 9, 2010 @ 9:48 PM

    ખૂબ સુંદર ગઝલ!

    આ શે’ર તો અદભૂત છેઃ

    ઓસરે છે લકીર પાણીમાં,
    પથ્થરોમાં લકીર બોલે છે!

    સુધીર પટેલ.

  2. pragnaju said,

    November 9, 2010 @ 10:29 PM

    સ રસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
    બુઝર્ગતા ધૂંધવાય છે ત્યારે,
    કોઈ તણખો સગીર બોલે છે.
    ઓસરે છે લકીર પાણીમાં,
    પથ્થરોમાં લકીર બોલે છે.
    યાદ
    . “સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
    જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.” …
    તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
    મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે

  3. Pushpakant Talati said,

    November 10, 2010 @ 4:59 AM

    આજે તો આ “ખમીર” એટલે શુ ? તે જાણવા અને સમજવા માટે
    શબ્દકોષ નો આશ્રય લેવો પડે તેવી ઘડી આવી ગઈ છે. – આવા સમયે નીચેની પંક્તીઓ દિવડાઓ માં દિવેલ પૂરતી હોય તેવું નથી લાગતું ? –
    ” એ જ માણસ અલગ તરી આવે
    એનું જ્યારે ખમીર બોલે છે! ”
    ખરેખર ખમીરવાળો તો બધાથી અલગ જ તરી આવે – તે ચીલ્લે ચીલ્લે ન ચાલે પણ પોતાની કેડી પોતે જાતે જ કંડારે છે.

    આ રચનાની અન્ય કડીઓ/પંક્તિઓ પણ જોરદાર અને જુસ્સા વાળી જ છે. – સરસ – ધન્યવાદ અને આભાર પણ.

  4. ઉલ્લાસ ઓઝા said,

    November 10, 2010 @ 9:53 AM

    બહુ સુંદર ગઝલ. દરેક શેર અલૌકિક !

  5. DHRUTI MODI said,

    November 10, 2010 @ 3:08 PM

    સુંદર ગઝલ. ઍકે ઍક શે’ર દાદ માગે ઍવા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment