ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
વિવેક મનહર ટેલર

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં – ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે …. અભ્યાસ જાગ્યા પછી

– ગંગાસતી

” If you meet Buddha on road, kill him ” – એક જાણીતી ઉક્તિ. નાવનું કામ નદી પર કરવા પૂરતું જ છે, તે પછી નાવને ખભે ઊંચકીને ભમ્યા ન કરાય…..

સર્વ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભકામનાઓ….

1 Comment »

  1. રાણાભાઈ said,

    November 9, 2018 @ 1:28 AM

    શુધ્ધ સમજણ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment