જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
વિવેક મનહર ટેલર

(આ જગત તારું થશે) – કિરીટ ગોસ્વામી

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.

જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.

દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.

મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.

– કિરીટ ગોસ્વામી

આમ તો આખી ગઝલ મસ્ત છે પણ મત્લાનો શેર જ સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થઈ જાય એવો અફલાતૂન થયો છે. બે પંક્તિના ઘરમાં કવિએ જે કમાલ કરી છે એ શબ્દાતીત છે… આવી જ રદીફવાળી એક બીજી ગઝલ –હવે જે થાય તે સાચું– પણ કવિએ લખી છે, એ પણ આ સાથે માણવી ચૂકશો નહીં…

1 Comment »

  1. Aasifkhan said,

    November 19, 2018 @ 3:38 AM

    Vaah. Kyaa. Baat

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment