જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
મનોજ ખંડેરિયા

નિબંધ છે – કુતુબ ‘આઝાદ’

મન માનવીનું એટલું માયામાં અંધ છે,
આંખો તો છે ઉઘાડી હૃદયદ્વાર બંધ છે.

લીધો છે એક શ્વાસ બીજો લઈ નહીં શકે,
પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સંબંધ છે.

માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.

સથવારો જો પ્રકાશનો સાથે ન હોય તો,
જેને કહો છો આંખ એ આંખોયે અંધ છે.

મમતાના તાર મોતની સાથે તૂટી જશે,
કાલે નહીં જ હોય જે આજે સંબંધ છે.

અંતિમ ટાણે એટલી અમને સમજ પડી,
જીવન એ પાપકર્મનો મોટો નિબંધ છે.

‘આઝાદ’ રોકશો મા, ભલે એ વહી જતાં,
આંસુઓ પશ્ચાતાપનો તૂટેલ બંધ છે.

– કુતુબ ‘આઝાદ’

પરંપરાના શાયરની કલમે પરંપરાની ગઝલ પણ બીજા-ત્રીજા અને ચોથા શેરના કલ્પન એટલા મજબૂત છે કે આધુનિક કવિતામાંથી પસાર થતાં હોવાની અનુભૂતિ થયા વિના નહીં રહે.

2 Comments »

  1. Dharmesh said,

    August 8, 2018 @ 5:48 PM

    I would strongly recommend you to visit https://thanganat.com for all latest Gujarati songs.

    I had visited and found various songs including Gujarati superhit Movie, Ghazal, Love song and much more.

  2. Utpal said,

    August 21, 2018 @ 2:27 PM

    Ohohohoo su vat che!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment