એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !
જમિયત પંડ્યા

સાબરમતી નથી – જલન માતરી

ઇચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી,
જીવે છે તે છતાં બધી, એકે મરી નથી.

આશાને તો નિરાશા કદી ભાવતી નથી,
કડવી છે તેથી તેને કદી ચાખતી નથી.

એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,
મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.

ઉદભવ તમારો મારી સમજ બહાર છે ખુદા,
અસ્તિત્વ પર મેં છતાં શંકા કરી નથી.

રાહ જોઈ, જોઈને ઘણાં સ્વર્ગસ્થ થઈ ગયાં,
સદીઓ વહે છે તોય કયામત થતી નથી.

એના અસલ સ્વરૂપે એ આ રીતે ના વહે,
આ તો ઉછીનું રૂપ છે, સાબરમતી નથી

લાગે છે સ્હેજ એ જ પણ નક્કી ના કહી શકાય,
પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી.

– જલન માતરી

પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી… થોડા દિવસ પહેલાં જ જનાબ જલન માતરીનું દેહાવસાન થયું… ગુજરાતી ગઝલ પરંપરાના ગઢનો મોટો કાંગરો ખરી ગયો… એમની એક ઉત્તમ ગઝલ સાથે એમને શબ્દાંજલિ આપીએ…

4 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    February 8, 2018 @ 3:02 AM

    સુંદર ગઝલ.
    જલન સાહેબની ખોટ હંમેશા વર્તાશે.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. suresh shah said,

    February 8, 2018 @ 3:59 AM

    we miss him a lot
    RIP.

  3. સુરેશ જાની said,

    February 8, 2018 @ 10:06 AM

    સરસ ગઝલ.
    લાગે છે સ્હેજ એ જ પણ નક્કી ના કહી શકાય,
    પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી.
    અસ્સલ ‘જલન’ મિજ઼ાજ.

  4. ketan yajnik said,

    February 8, 2018 @ 6:57 PM

    ગેર્હાજ્રરિ વર્તાશે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment