સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

ત્યારે – પંકજ વખારિયા

ભલે ત્યારે,
ઘડાવ હવે આભૂષણો
પરંતુ
ઘણી બૂમ પાડેલી તને
અને છેલ્લે નિ:શબ્દ ચિત્કાર પણ.
જેની લાશ ધીમે ધીમે સડીને
હવે સુવર્ણની થઈ રહી છે,
એ નદીએ
મારી ભીતરથી બહાર ફૂદીને
આપઘાત કરેલો
ત્યારે તું ક્યાં હતી ?

– પંકજ વખારિયા

સાવ નાનું અમથું બે જ વાક્યનું આ અછાંદસ બે ‘ત્યારે’ની વચ્ચે બુલેટ ટ્રેનની ઝડપથી વર્તમાન અને ભૂતકાળની મુસાફરી કરાવે છે. નાયિકા નાયકને ત્યજીને ચાલી નીકળે છે ત્યારે વિખૂટા પડવાની આ ક્ષણે નાયક એને રોકવા માટે ઘણી બૂમ-આજીજી કરે છે, પણ નાયિકા રોકાતી નથી… જેને શબ્દોની અસર નથી એના પર નિઃશબ્દ ચિત્કાર તો શું કામ કરવાના? પ્રણયવિચ્છેદની તીવ્રતા સર્જન સ્વરૂપે બહાર આવે છે… ભીતરની લાગણીની નદી કાગળ પર કવિતારૂપે ઉતરી આવે છે એને કવિ નદીની આત્મહત્યા ગણાવે છે… લાગણીનો ખરો પ્રાણ તો એ હૈયામાં હોય એ જ છે. સ્વથી સર્વ સુધી આવેલી લાગણી તો લાગણીની લાશ જ કહેવાય ને! કવિની ખ્યાતિ વધી રહી છે. લાગણીની લાશ આમ તો સડી રહી છે પણ ધીમે ધીમે એ સોનાની થઈ રહી છે અને હવે નાયિકાને આ પ્રસિદ્ધિ લલચાવી રહી છે. એ નાયકની જિંદગીમાં પરત ફરવાની ફિરાકમાં છે… પણ નાયક હવે મનથી દૂર ચાલ્યો ગયો છે, ભલે ને નાયિકા હવે નાયકની પ્રસિદ્ધિની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતી કેમ ન હોય !

5 Comments »

  1. Dharmendra said,

    September 23, 2017 @ 4:23 AM

    Ghanu j sunder. Aatmmanthan karate evu.

  2. સુનીલ શાહ said,

    September 23, 2017 @ 5:12 AM

    અદભુત રચના….ખૂબ ઓછાં શબ્દોમાં કવિકર્મ નિખરી ઉઠ્યૃં છે.
    કવિશ્રીને અભિનંદન

  3. ketan yajnik said,

    September 23, 2017 @ 8:29 AM

    છંદ કેવો? શેનો? ક્યાંનો? અને એટલે જ અછાંદસ કેવો? શેનો? ક્યાંનો?

  4. Shivani Shah said,

    September 23, 2017 @ 2:10 PM

    પૂરેપૂરુ નથી સમજાતું , ભાષાંતર નથી એટલે સમજાય એટલું સાચું:

    Nakki vacha khup sundar aahe

    निर्णय चुकतात आयुष्यातले

    आणि

    आयुष्य चुकत जाते..

    प्रश्न कधी-कधी कळत नाहीत

    आणि उत्तर चुकत जाते..

    सोडवताना वाटतं

    सुटत गेला गुंता..

    पण प्रत्येक वेळी नवनवीन

    गाठ बनत जाते

    दाखविणाऱ्याला वाट

    माहित नसते..

    चालणाऱ्याचे ध्येय मात्र

    हरवून जाते..

    दिसतात तितक्या सोप्या

    नसतात काही गोष्टी..

    “अनुभव”

    म्हणजे काय हे तेव्हाच कळते…

    असे मित्र बनवा

    जे कधीच साथ सोडणार नाही..

    असे प्रेम करा

    ज्यात स्वार्थ असणार नाही..

    असे हृद्य बनवा कि

    ज्यालातडा जाणार नाही..

    असे हास्य बनवा

    ज्यातरहस्य असणार नाही..

    असा स्पर्श करा

    ज्यानेजखम होणार नाही..

    असे नाते बनवा

    ज्याला कधीच मरण नाही…

    सुरेश भटांच्या चार सुंदर

    ओळी..

    आयुष्य छान आहे,

    थोडे लहान आहे……

    रडतोस काय वेड्या.?

    लढण्यात शान आहे…

    काट्यातही फुलांची झुलती

    कमान आहे…..

    उचलून घे हवे ते,

    दुनिया दुकान आहे….

    जगणे निरर्थक म्हणतो तो

    बेइमान आहे.

    “सुखासाठी कधी हसावं लागंत

    तर कधी रडावं लागतं,

    कारण सुंदर धबधबा बनायला

    पाण्यालाही उंचावरुनपडावं

    लागतं”…

  5. Pankaj Vakharia said,

    September 25, 2017 @ 5:55 AM

    बर तर मग,
    बनव आता दागिने
    पण
    खूप हाका मारल्या होत्या तुला
    आणि शेवटी केला होता निःशब्द चित्कार पण
    जिचा मृतदेह हळूहळू सडून
    आता सुवर्णाचा होत जातोय,
    त्या नदीने
    माझ्या आतून बाहेर ऊडी मारून
    आत्महत्या केली
    तेव्हा तु कुठे होतीस?

    – पंकज वखारिया
    – अनुवाद – हेमंत पुणेकर

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment