અવાજો – મનહર મોદી
અવાજો તો બધેથી આવવાના
હશે રસ્તા તો લોકો ચાલવાના
હૃદયનું હોય તો સમજાય, આ તો
સૂકી રેતીમાં દરિયા દાટવાના
ઘણા વર્ષોથી હુંયે કામમાં છું
બધા પડછાયા ઢગલે ઢાળવાના
ગણતરીના દિવસ બાકી બચ્યા છે
હવે વરસાદમાં શું વાવવાના ?
મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.
– મનહર મોદી
મનહર મોદી બ્રાન્ડ ગઝલ…
સુરેશ જાની said,
October 6, 2017 @ 9:44 AM
મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.
આખી જિંદગી એક સફર જ છે. બહુ જ ઓછા શબ્દોમાં સરસ વાત.
Shah Pravin said,
October 8, 2017 @ 2:32 AM
અમે રસ્તા વગર પણ ચાલવાના….
રસ્તો કે મંજિલ ક્યાં નક્કી છે, ચાલવાનું છે એ નક્કી છે. અને મંજિલની જાણ થાય તો રસ્તો આપોઆપ મળી આવે છે….
વાહ… ખૂબ સુંદર ગઝલ કહી…
સુરેશ જાની said,
October 8, 2017 @ 7:42 AM
‘રસ્તા વગર ચાલવાના’ – કદાચ અંતરયાત્રા તરફ સંકેત કરે છે. વર્તમાનમાં જીવનાર માટે રસ્તો દર ક્ષણે એની મેળે ખૂલતો જાય છે.
La Kant Thakkar said,
October 18, 2017 @ 9:59 PM
यात्रा …. हम सब सिर्फ रास्तेमें है,यात्रा…. बाकी, मंज़िल,दिशा,मोड़ सब तय है, *चलना* एक मात्र हमारा काम, रुकना भी उस यात्राका हिस्सा !
La Kant Thakkar said,
October 18, 2017 @ 10:02 PM
यात्रा ,बस यात्रा … चलते रहेना