તું નીરખને ! – ભગવતીકુમાર શર્મા
હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !
અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !
મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !
હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !
છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !
છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !
અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !
-ભગવતીકુમાર શર્મા
કવિશ્રીને ગુજરાત સાહિત્ય-રત્ન ગૌરવ એવોર્ડ તાજેતરમાં જ મળ્યો….
Atul Dave said,
September 20, 2017 @ 3:57 AM
અદ્ભૂત !
mukesh vora said,
September 20, 2017 @ 4:38 AM
વાહ શુ કવિતા
છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !
ખુબ દિવસો બાદ સરસ કવિતા વાચિ
મારે પોતનેજ નિરખવાનુ જરુરિ
Shivani Shah said,
September 20, 2017 @ 8:19 AM
વાહ ! forceful અભિવ્યક્તિ !
similar message વાળી પંક્તિઓ યાદ આવી ગઈ:
‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે..’
‘अब जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है…’
Jayendra Thakar said,
September 20, 2017 @ 1:53 PM
ઘણું સ્પષ્ટ છે અને ગુહ્ય પણ!
અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !
એકેએક કળીમાં ભારોભાર સત્ય છે.