હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…
હરીશ ઠક્કર

જીવી લે ! – ડૉ. મનોજ જોશી ‘મન’

સમય બાથમાં લઈ ક્ષણે ક્ષણ જીવી લે,
જીવી લે ! કહું છું હજુ પણ જીવી લે !

હે બુદ્ધિજીવી ને વિચક્ષણ ! જીવી લે,
ન કર જિંદગીનું પરીક્ષણ ! જીવી લે.

બધા સ્વપ્નનું શ્રાધ્ધ કરજે વિધિવત્ !
કરી લાગણીઓનું તર્પણ જીવી લે.

સતત એક રસ્તે જવા આવવાનું !
લઈ શ્વાસ પાસેથી શિક્ષણ, જીવી લે !

દલીલો ને તર્કોને પડતા મૂકીને,
નથી જીવવા જેવું તો પણ જીવી લે !

– ડૉ. મનોજ જોશી ‘મન’

કેવી મજાની વિધાયક ગઝલ! બધા જ શેર સંતર્પક… કંઈ પણ થાય, જીવી લેવાનું છે અને જીવનમાં જીવ હોય એ રીતે જ જીવવાનું છે, મરતાં-મરતાં નહીં…

3 Comments »

  1. Pravin Shah said,

    September 15, 2017 @ 7:01 AM

    Very nice 😊 Sir…

  2. Shivani Shah said,

    September 15, 2017 @ 8:23 AM

    સરસ ગઝલ !

  3. Maheshchandra Naik said,

    September 15, 2017 @ 3:17 PM

    સરસ,સરસ,સરસ……..ખુબ જ સરસ વાત કરતી ગઝલ …અભિનદન…….આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment