જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
મુકુલ ચોકસી

મંદ ખળખળ – રઈશ મનીઆર

ધરાનું કાવ્ય થયું વ્યક્ત એક કુંપળથી
ગગનની દાદ મળી એક બૂન્દ ઝાકળથી

નથી ફિકર કે ધકેલે છે સૂર્ય પાછળથી
મને આ તાપમાં પડછાયો દોરે આગળથી

સમંદરો તો ઘૂઘવવા છતાંય ત્યાં ના ત્યાં
નદી વધે છે લગાતાર મંદ ખળખળથી

તિમિરમાં દૃશ્યો કળાશે જરા સમય વીત્યે
પરંતુ અંધ બની જાય આંખ ઝળહળથી

હું બાગબાની વિશે એને શું બયાન આપું
જે ખુશ્બુ લઈ ન શકે ઝાંખા પીળા કાગળથી

અકાળ મૃત્યુને આંટી દે એવો દુઃખદાયક
જો ભરથરીને અનુભવ થયો અમરફળથી

 

– રઈશ મનીઆર

કલાસિક રચના…..લાક્ષણિક…..

 

 

2 Comments »

  1. વિવેક said,

    August 8, 2017 @ 8:49 AM

    સાદ્યંત સુંદર રચના…. બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.

  2. Nehal said,

    August 18, 2017 @ 4:17 AM

    Waah ! Adbhut!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment