ઢાંચો અધૂરો – સાહિલ
જિંદગી નામે ગઝલનો જોઉં છું ઢાંચો અધૂરો,
કોઈનો મત્લા અધૂરો – કોઈનો મક્તો અધૂરો.
ભીંતને પણ વિસ્મરણનું ભૂત તો વળગ્યું નથી ને!
હોય છે સાબૂત વાણી તોય કાં પડઘો અધૂરો.
ઈશ્વરે માનવ કરીને મોકલી દીધા ધરા પર,
માનવી હોવાનો દઈ પ્રત્યેક પુરાવો અધૂરો.
શી રીતે ઘટમાળની સચ્ચાઈને પામી શકાશે,
હોય છે આઠે-પ્રહર મારો જ પડછાયો અધૂરો.
શું તરસને પણ અધૂરપનો ફળ્યો છે શાપ કોઈ,
છે સુરાલયમાં સહુના હાથ કાં પ્યાલો અધૂરો.
એ જ ખેંચાતાણી છે હૈયા અને બુદ્ધિની વચ્ચે,
કોણ ચહેરા ને અરીસામાં હશે આધો અધૂરો.
આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.
– સાહિલ
રદીફ ‘અધૂરો’ પણ ગઝલ કેવી ‘પૂરી’ !
chandresh said,
July 14, 2017 @ 5:43 AM
આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.
સરસ
જગદીશ કરંગીયા ‘સમય’ said,
July 14, 2017 @ 5:44 AM
@ સાહિલ-સુંદર રચના
@ લયસ્તરો -આભાર.
જય ભારત.
—————
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
Vineshchandra Chhotai said,
July 14, 2017 @ 4:49 PM
N deep approach
Girish popat said,
July 16, 2017 @ 5:27 AM
Wah…..
લલિત ત્રિવેદી said,
July 17, 2017 @ 1:25 PM
વાહ…સરસ