ખંડેર – ‘આદિલ’ મન્સૂરી
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?
એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
– ‘આદિલ’ મન્સૂરી
મક્તામાં ચમત્કૃતિ છે –
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.
જગદીશ કરંગીયા ‘સમય’ said,
June 21, 2017 @ 5:21 AM
@ ‘આદિલ’ મન્સૂરી – એક એકથી ચડિયાતા શેર. સુંદર ગઝલ.
@ લયસ્તરો – આભાર.
જય ભારત.
—————
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
વિવેક said,
June 21, 2017 @ 9:35 AM
સુંદર ગઝલ… મક્તાનો શ્લેષ જોરદાર.