એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,
મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.
– જલન માતરી

મારે જવું નથી – જયંત પાઠક

એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.

બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.

હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.

-જયંત પાઠક

4 Comments »

  1. ketan yajnik said,

    March 31, 2017 @ 9:31 AM

    જવાં જ નીકળ્યા હતા ,પણ બસ હવે જવું નથી

  2. RAKESH THAKKAR, Vapi said,

    March 31, 2017 @ 10:54 AM

    Waah
    હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
    એવો જ પંથ હોય તો મારે જવું નથી.

  3. Harshad said,

    March 31, 2017 @ 6:26 PM

    Very Good !! Jayantbhai is my one of the favorite poet. Always love to read and recite his creations.

  4. Maheshchandra Naik said,

    April 2, 2017 @ 9:34 PM

    સરસ,સરસ,સરસ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment