મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું
– સંદીપ પુજારા

(ચાલવાનું છે) – વિપુલ માંગરોલીયા ‘વેદાંત’

એમ તો ક્યાં કશું થવાનું છે?
થાય એ કોણ રોકવાનુ છે?

એમ લઈ જાય ના કશે રસ્તો
તારે પણ થોડું ચાલવાનું છે.

ના મળે ભેખ ભગવા કપડાથી,
સૌ પ્રથમ ખિસ્સું કાપવાનું છે.

મન ભરી એમાં તો તું નાચી લે,
કોણ સપનામાં ટોકવાનું છે?

આપવો કેમ દોષ સૂરજને?
એને પણ રોજ દાઝવાનું છે.

કર મદદ થોડી તુંય વરસીને,
અશ્રુને મારે ઢાંકવાનું છે.

હોય મંદિરમાં ચાહે મસ્જિદમાં
ફૂલ તો તોય ફોરવાનુ છે.

– વિપુલ માંગરોલીયા ‘વેદાંત’

કર્મે પેથોલોજીસ્ટ પણ ધર્મે કવિ વિપુલ માંગરોલિયા સુરતથી ગુજરાતી ગઝલાકાશે ઊભરી રહેલો નવો પણ સત્વશીલ અવાજ છે. કવિના પ્રથમ ગઝલસંગ્રહ “ક્ષિતિજ પર ઝાકળ”નું લયસ્તરોના આંગણે સુસ્વાગતમ્. ભાષા સરળ પણ વાત ઊંડી એ આ કવિની સાચી ઓળખ છે. ટૂંકી બહેરની એક મજબૂત ગઝલ આજે માણીએ.

8 Comments »

  1. Ashok Vavadiya said,

    February 24, 2017 @ 1:20 AM

    Very Very Nice And Truth Thought

  2. sunil shag said,

    February 24, 2017 @ 1:52 AM

    Khub sundar abhivyakti

  3. Jigna shah said,

    February 24, 2017 @ 3:06 AM

    Saras
    Arthsabhar gazal

  4. Rakesh Thakkar, Vapi said,

    February 24, 2017 @ 3:13 AM

    સરસ
    આપવો કેમ દોષ સૂરજને?
    એને પણ રોજ દાઝવાનું છે.

  5. Girish said,

    February 24, 2017 @ 5:00 AM

    Wah

  6. આસિફખાન said,

    February 24, 2017 @ 1:13 PM

    वाह
    सरस

  7. Maheshchandra Naik said,

    February 24, 2017 @ 4:27 PM

    સરસ,સરસ……

  8. Ketan Yajnik said,

    February 24, 2017 @ 11:43 PM

    બ્સ્ ચાલ્યા જ કરુ ચ્હુ =બેફામ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment