કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

શું કરીશું ! – મનસુખ લશ્કરી

શ્વાસની સાબિતીઓને સંઘરીને શું કરીશું ?
આંસુઓમાં ડૂબવા આંખો ભરીને શું કરીશું ?

હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?

ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?

પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?

‘શું કરીશું?’ ‘શું કરીશું ?’ શું કરે છે? ગોત ઉત્તર!
પંડને આ વૈખરીથી તંતરીને શું કરીશું !

– મનસુખ લશ્કરી

એકેએક શેર પાણીદાર… વર્તમાનનું મહત્ત્વ સમજાવતું ‘કાલની ખાલી નદી’નું કલ્પન જ આખી ગઝલનો ભાર ખભે ઊંચકી લેવા પૂરતું છે. ટકોરાબંધ ગઝલ.

3 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    November 24, 2016 @ 7:08 AM

    બહુ જ સરસ ગઝલ.
    પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
    પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?

  2. KETAN YAJNIK said,

    November 24, 2016 @ 7:46 AM

    કબૂલાત તમારી માણીશું, પછી અમે શું કરીશું?
    સ્તરોનો લય માણ્યા કરશું। બીજું શું?

  3. piya said,

    November 24, 2016 @ 9:16 AM

    Saras gazal…😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment