પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
શ્યામ સાધુ

રિક્ત મન – ચિનુ મોદી

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

– ચિનુ મોદી

3 Comments »

  1. nehal said,

    October 12, 2016 @ 1:33 PM

    waah!

  2. Saryu parikh said,

    October 13, 2016 @ 11:16 AM

    Wah!
    Saryu

  3. Yogesh Shukla said,

    October 23, 2016 @ 11:11 PM

    સુંદર ગઝલ ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment