અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

ગઝલ – ભાવિન ગોપાણી

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.

જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને ?
સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.

– ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણીની રચનાઓમાંથી પસાર થતાં એક વિશેષતા જે અનુભવાઈ એ મત્લાની બળકટતા. મત્લાનો શેર જ એવો મજબૂત, નાવિન્યસભર હોય કે આખી ગઝલ વાંચવી જ પડે.

12 Comments »

  1. CHENAM SHUKLA said,

    November 25, 2016 @ 12:58 AM

    waah…..mast gazal

  2. ઢીંમર દિવેન said,

    November 25, 2016 @ 4:33 AM

    વાહ ભાવીનભાઈ…
    વિવેકભાઈ…ખરેખર મત્લા જાદુગરી હો!!!

  3. Sunil bhimani angat said,

    November 25, 2016 @ 4:49 AM

    Nice gajal

  4. NAREN said,

    November 25, 2016 @ 5:31 AM

    LAAJWAAB RACHNAA , SHER DER SHER LAAJWAAB

  5. KETAN YAJNIK said,

    November 25, 2016 @ 6:02 AM

    દશા અને દિશા ની વાત છે કેટ કેટલું બદલીશું ?

  6. Jignasa Oza said,

    November 25, 2016 @ 6:13 AM

    Excellent!!!

  7. Rohit kapadia said,

    November 25, 2016 @ 10:42 AM

    પુસ્તકોને ગુરુ બનાવી ઘરમાં સ્થાન આપવાની વાત સાચે જ બહુ ઉત્તમ વિચાર છે. સુંદર રચના.

  8. urvashi parekh. said,

    November 25, 2016 @ 7:01 PM

    khub j saras.

  9. Shivaji Rajput 'shivam' said,

    November 26, 2016 @ 1:30 PM

    દરેક શેર અફલાતૂન!

  10. Rakesh Thakkar, Vapi said,

    November 28, 2016 @ 12:00 AM

    nice sher
    શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
    ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

  11. ashish aghara said,

    December 8, 2016 @ 5:37 AM

    Nice

  12. Pankaj Parmar said,

    December 12, 2016 @ 9:42 AM

    અતિ સુંદર….ચોંટદાર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment