શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
ઘાયલ

અશબ્દ રાત્રિ – પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
       મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.

– પ્રિયકાંત મણિયાર

કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા 🙂

5 Comments »

  1. ઊર્મિ said,

    December 1, 2008 @ 11:24 PM

    વાહ… લાગે છે કે પેટમાં ગયેલા પાણીએ નહીં પણ ત્રીજે માળેથી પાઈપ વાટે નીચે સુધી ગયેલાં પાણીએ કવિની તરસ છિપાવી… 🙂

  2. Lata Hirani said,

    December 2, 2008 @ 7:43 AM

    હા ભાઇ, કવિ જેના માટે ઉઠે એની કવિતા થાય..

  3. pragnaju said,

    December 2, 2008 @ 10:31 AM

    આવી ઘટનાને જુ.ભાઈ આ રીતે વિચારે છે.
    આ પાણી તેં ઢોળી દીધું છ તેમાં
    વહી જશે આ સમય પ્રવાહી થૈ
    તાણી જતો બાલવય ક્રમે ક્રમે-
    તારું મને કેવળ ‘એ’નહીં ગમે!
    કદાચ…
    પાણી ઢોળી દીધું ને સાથે સાથે
    અંધશ્રધ્ધાને પણ ઢોળી દીધી!
    તમે પીધું ન પીધું ત્યાં ઢોળી દીધું ..!
    જવા દો હવે.. તમે બોલી ના શક્યા હોઠોથી
    અને
    ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
    મજલેથી ત્રીજે
    તે તો વહ્યું છેક જતાં જતાં તળે
    ધીરે ધીરે પાઈપમાં લપાયલી
    હેમંતની શીતલ શાંતિના સ્વરો
    જગાડતું
    જંપી ગયું ક્ષણોમાં.
    અજંપો મૂકી તવ હ્રદયમાં!

  4. kantilalkallaiwalla said,

    December 2, 2008 @ 12:13 PM

    Well described small incident in best way. Poet has shown his imaginary power and observing power in the best way. congratulations.

  5. Pinki said,

    December 3, 2008 @ 4:06 AM

    ……………..

    રાતની નીરવતા કવિહૃદયને વધુ સ્પર્શી ગઈ !!

    શાંતિથી મટુકીમાં સૂતેલ જળને ઉઠાડવાનોયે ગમ –
    ને વધેલું પાણી ઢોળતાં થયેલ અવાજ
    જાણે હેમંતની શાંતિને ખલેલ પહોંચાડે છે.
    પાણી જંપ્યુ ત્યારે જ કવિને હાશ થઈ-
    ને આ સંવેદનશીલતા જ કવિને
    પાણી પીવા ઊઠે ત્યારે ય કવિતા લખાવે જ ને .. !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment