તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
ગની દહીંવાલા

ઉદાસ ન થાય – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.

એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

– ભાવેશ ભટ્ટ

આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.

11 Comments »

  1. CHENAM SHUKLA said,

    August 4, 2016 @ 2:04 AM

    છેલ્લો શેર તો ખરેખર મસ્ત…….

  2. નિનાદ અધ્યારુ said,

    August 4, 2016 @ 3:11 AM

    જો વીતે આપના વિચાર વગર
    એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

    બેશક !

  3. Rina said,

    August 4, 2016 @ 3:32 AM

    Kya baat….

  4. Dr. Firdaus Dekhaiya said,

    August 4, 2016 @ 4:15 AM

    Adbhut… Mukammal ghazal

  5. jadav nareshbhai said,

    August 4, 2016 @ 5:25 AM

    :ગઝલ : તરહી તા. ૦૩/૦૮/૨૦૧૬
    ( મનહર છંદ )
    કોઈ કોઈ ને આમ જરાય ખોટો ના ધાર તું ;
    બસ પોતે પોતાની જાત ને જ સુધાર તું ;
    આમ કોઈના પર દોષ ઢોળવાથી શું વળે;
    કટાઈ ગયેલા દોષનો કાટ ઉતાર તું ;
    આ જુઠો ,પેલો ખોટો એવું કહેવાથી શું મળે
    પહેલાં પોતાને સાચો પુરવાર કર તું ;
    દેખો તો મૂળના ઊંડાણમાં દોષના બીજ છે ;
    પહેલા પોતાના જ દોષના બીજ કાપ તું ;
    શા માટે રોફ જમાવે છે “જાન” કે હું સાફ છું ;
    પોતાના દોષને ય પોતે જ સાફ કર તું;

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર – વડ મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

  6. Rakesh Thakkar, Vapi said,

    August 4, 2016 @ 5:44 AM

    વાહ !
    એ રીતે કોઈ ભીંત શણગારો
    કે બીજી ભીંત નાસીપાસ ન થાય

  7. KETAN YAJNIK said,

    August 4, 2016 @ 8:22 AM

    રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
    એમ ઇચ્છું કે એ નપાસ ન થાય
    શું થાય ? ગઝલ તો ગમી જ
    इक फुरसत से गुनाह करनेको मिली वो भी चार दिन
    हमने भी देखे है हौसले परवर्दीगारके

  8. vimala said,

    August 4, 2016 @ 3:32 PM

    “એ રીતે કોઈ ભીંત શણગારો
    કે બીજી ભીંત નાસીપાસ ન થાય”

  9. Yogesh Shukla said,

    August 4, 2016 @ 11:35 PM

    સુંદર રચના ,,,,

    રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
    એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

  10. VISHAL JOGRANA said,

    August 7, 2016 @ 5:21 AM

    કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
    થાય તો મારી આસપાસ ન થાય.

    એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
    ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

    ખૂબ સરસ ગઝલ

  11. Devika Dhruva said,

    September 8, 2016 @ 8:59 AM

    લાજવાબ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment