સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

નીકળ્યા ! – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !

એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’, એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’

ખરા સોના જેવી આ ગઝલ બે શબ્દોની મહોતાજ નથી. એ એટલી વિખ્યાત છે કે લયસ્તરો પર એ હશે જ એવા વિચારમાં કદી પૉસ્ટ જ ન કરી.

4 Comments »

  1. મીના છેડા said,

    April 15, 2016 @ 3:19 AM

    કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
    આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં. વાહ !

  2. KETAN YAJNIK said,

    April 15, 2016 @ 8:07 AM

    “અમૃતમય”
    “ઘાયલ “

  3. Harshad said,

    April 16, 2016 @ 10:16 PM

    AWESOME !! Beautiful.

  4. Narendra H Shah said,

    June 7, 2016 @ 2:24 PM

    ઘાયલ સાહેબનું નામ અમસતુ જ ગુજરાતી ગઝલમા ટોપ પર નથી….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment