બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.
સૈફ પાલનપુરી

ગઝલ – વૈરાગ પરમાર

રસ્તાએ વિસ્તાર વધારી દીધો છે,
તારાં ઘરનો મારગ નહિતર સીધો છે.

પાને પાને કેમ પુરાવા નોંધાવ્યા ?
સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.

વનવગડાને ખાલી કરવા તાબડતોબ,
કરવતના કસબીએ ઑર્ડર કીધો છે.

કોણે કીધું કેવળ ઝરણાં લીધાં છે ?
દરિયાએ પર્વતને ખોળે લીધો છે.

વૈદોએ તો નાડ તપાસી તરત કહ્યું,
આ માણસને સંજોગોએ પીધો છે.

– વૈરાગ પરમાર

એક-એક શેર સીધા સોંસરા ઊતરી જાય એવા ધારદાર… ઈશ્વર વિશેની આપણી શ્રદ્ધાની ઠેકડી ઊડાડતો શેર અખાના છપ્પાની યાદ અપાવે એવો બળવત્તર થયો છે. પહેલવહેલીવાર આ કવિની કોઈ રચના સાથે પનારો પડ્યો ને મને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ થઈ ગયો (ગઝલ માટે!!).

5 Comments »

  1. Rina said,

    February 27, 2016 @ 7:30 AM

    Wahhhhh

  2. Bhadresh Joshi said,

    February 27, 2016 @ 9:46 AM

    વિચાર વિસ્તાર કરો, પ્લિઝ્.

  3. Dr. M S Patel said,

    February 27, 2016 @ 10:32 PM

    ભાઈ શ્રી વૈરાગ પરમાર:

    ગઝલ તમારી ખુબ ગમી

    … .. ને છેલ્લે આ એક મક્તા મારા તરફથી ઉમેરશો

    આતો તમારો પ્યાર છે, લખાવે છે ગઝલ દોસ્તો
    નહીતર અમે તો ક્યાર નો યે “વૈરાગ” લીધો છે

  4. nehal said,

    February 28, 2016 @ 2:49 AM

    Waah…mast gazal!

  5. La' Kant Thakkar said,

    March 5, 2016 @ 6:33 AM

    સરસ ! ” અભિનંદન …”આ માણસને સંજોગોએ પીધો છે. ” આ પંક્તિ માટે…– ભાઈ વૈરાગ પરમાર

    “….સોંસરા ઊતરી જાય એવા ધારદાર… કટાક્ષ બળવત્તર થયો છે. ”
    કહેવાનું મનઃ- …શબ્દનો કોઈ ભરોસો નહીં ! ક્યાકથી મારામાં ઉતારી આવે અચાનક મ,એ સંજોગ એવા કે …પછી લખવુંજ પડે ભાઈલા !
    “મારગ નહિતર સીધો છે….”પણ, મેં મને જ કન્ફયુઝ કર્યો ને નડ્યો મને હું ! ,નહીંતર,તું ….. ક્યા દૂર હતી ?”
    “.સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.”- સામે …ભાઈ,..ઈશ્વર પોતે મારો પડછાયો બની પીછો કરે ..!”
    “હું તો જાણે છું, પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું ,
    શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું
    (“લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર,’કઈંક’)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment