આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
રમેશ પારેખ

ભૂલ થાય?!… – મહેશ દાવડકર

હા, બને કે જીવવામાં ભૂલ થાય;
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?

છત ને દીવાલો બિચારી શું કરે !
જ્યારે પાયા નાંખવામાં ભૂલ થાય…

એનું ચોક્કસ માપ કંઈ હોતું હશે !
લાગણીને માપવામાં ભૂલ થાય.

જ્યારે-જ્યારે સત્યથી અળગા થયા,
ત્યારે-ત્યારે બોલવામાં ભૂલ થાય.

આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !

પૂછે છે કાયમ પતંગિયું ફૂલને –
તું ખીલે, તો ખીલવામાં ભૂલ થાય?

– મહેશ દાવડકર

સારી ગઝલ માણવામાં કંઈ ભૂલ થાય ?

ગઝલના ઉપાડમાં જ કવિ “હા” કહીને જીવવામાં ભૂલ થઈ શકે એનો મોકળો સ્વીકાર કરી લે છે પણ પછી તરત જે પ્રશ્ન પૂછે છે એ વિચાર માંગી લે એવો છે. આ પ્રશ્ન સાચવીને સમજીએ તો આપણા સંબંધોના સમીકરણોમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.

7 Comments »

  1. Vikas Kaila said,

    December 19, 2015 @ 2:37 AM

    મસ્ત ગઝલ્

    મજા પડી

  2. KETAN YAJNIK said,

    December 19, 2015 @ 3:25 AM

    સરસ્

  3. Kiran Chavan said,

    December 19, 2015 @ 3:58 AM

    સુંદર ગઝલ.

  4. Kirit said,

    December 19, 2015 @ 9:02 AM

    ખૂબ સરસ
    કોઇને ચાહવામાં ભૂલ ન થાય

  5. સુનીલ શાહ said,

    December 19, 2015 @ 10:05 AM

    બહુ જ સુંદર અભિવ્યક્તિ

  6. Maheshchandra Naik said,

    December 19, 2015 @ 5:03 PM

    સરસ ગઝલ……કવિશ્રી ને અભિનદન….

  7. Harshad said,

    December 21, 2015 @ 7:59 PM

    Vah..! Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment