પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
છતાં યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

no-mind

From where did the Buddha come,
To where did the Buddha go?
If the Buddha is still around,
Where can be the Buddha found?      – Shun-tsung

From non-activity the Buddha came
To non-activity the Buddha disappeared.
Cosmic reality his spiritual body is,
In no-mind the Buddha will appear.      – Ju-man

Great mountains, rivers and seas,
Heaven and earth, sun and moon.
Who says there is no birth and death?
For even these meet their end soon.       -Shun-tsung

Birth is also before birth,
Death is also before death.
If you have attained no-mind,
Naturally there will be nothing left.        -Ju-man

આ એક ચીનના રાજા અને ઝેન મહાત્મા વચ્ચેનો સંવાદ છે. આશરે 1500 વર્ષ પહેલાનો આ સંવાદ ઝેનસાહિત્યમાં ખૂબ જાણીતો છે. પ્રથમ દ્રષ્ટિએ માત્ર contradictory statements હોય એવી છાપ ઊભી કરતો આ સંવાદ ઘણીબધી વાર વાંચ્યા પછી ઊઘડે છે.

સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં ઝેન બુધ્ધીઝ્મ વિષે થોડી મૂળભૂત વાત કરું તો તેમાં મૌન,અનુભૂતિ અને અનુભવ – આ જ મુખ્ય પદ્ધતિઓ છે જે દ્વારા ઝેન માસ્ટર પોતાની પ્રજ્ઞા શિષ્ય સુધી પહોંચાડે છે. કોઈ પ્રવચન અથવા તો વિશાળ ગ્રંથાભ્યાસ હોતો નથી. કોઈકવાર ગુરુ એક જ વાક્ય બોલે જેના ઉપર શિષ્ય આખી જિંદગી વિચાર કરે !!!!!! આવું કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે સ્વ-અધ્યાય વિનાનું સર્વ વ્યર્થ છે.

પ્રથમ પ્રશ્ન સ્પષ્ટ છે – અહીં કોઈ શારીરિક આવાગમનની પૃચ્છા નથી. વાત બુદ્ધત્વની છે. ઉત્તરમાં વપરાયેલા ત્રણ શબ્દો મહત્વના છે – non-activity, cosmic reality અને no-mind. ત્રણે શબ્દની વિસ્તૃત સમજૂતી ખૂબ લાંબી થઇ જવાનો ડર છે, તેથી ટૂંકમાં – non-activity એટલે સંપૂર્ણપણે કર્તૃત્વભાવ વિનાનું-સંપૂર્ણ સહજ અસ્તિત્વ. cosmic reality એટલે અદ્વૈતની સહજ સ્વીકૃતિ. no-mind એટલે એ અવસ્થા જ્યાં વિચાર અને વિચારકનું દ્વૈત શમી જાય છે. [ આ અત્યંત જ સંક્ષિપ્ત ભાવાર્થ છે ].

બીજા પ્રશ્નનો ઉત્તર અદભૂત છે – પ્રત્યેક ક્ષણ નૂતન છે. ગ્રીક ફિલોસોફર હેરાકલિટસનું અમર સૂત્ર છે – ‘ one can never step into the same river twice.’ પ્રતિક્ષણ ધસમસતું વહેતું પાણી એ નદી છે. ક્ષણ વીતી ગઈ-પાણી વહી ગયું-નદી બદલાઈ ગઈ ! એ જ રીતે જીવન સતત – ક્ષણે ક્ષણે જન્મ લે છે અને ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે…. સાતત્યનો ભાસ ઊભું કરનાર તત્વ છે mind . જેવું mind ને અતિક્રમીને ‘no-mind’ અવસ્થામાં જીવન પ્રવેશે છે તેવું તરત જ જન્મ-મૃત્યુનું પરંપરાગત જ્ઞાન બાષ્પીભૂત થઇ જાય છે.

આ બધી વાતો લાગે તો રોચક, પરંતુ વ્યવહારનું શું !?? એ જ્ઞાન શું કામનું કે જે વ્યવહારમાં નેપથ્યમાં ધકેલાઈ જાય !! ભગવાન બુદ્ધે વ્યવહારઉપયોગી વાત સિવાય કોઈ વાત કદી કરી જ નથી. તેઓ એક માત્ર એવા મહાત્મા હતા જેઓએ કદીપણ ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’ શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. તેઓ કહેતા કે જિંદગી એ પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેનો ખેલ છે. ન તો એ પહેલા કશું હોય છે કે ન તો એ પછી. [ આથી જ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભિન્ન ધર્મ છે ]. તેઓએ સતત જીવન અને તેની વિષમતાઓની જ વાત કરી છે. જીવનને સમજતા જેમ ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ એક એવી અવસ્થા આવે છે-એવા પ્રશ્નો ઉદભવે છે કે જેનું સમાધાન ઉપરોક્ત કાવ્યમાં આલેખાયું છે.

6 Comments »

  1. Girish Parikh said,

    October 5, 2015 @ 12:53 AM

    સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ટૂંકુ સંબોધન “Buddhisim is fulfillment of Hinduism” વાંચવા જેવું છે. ઓન લાઇન વાંચો http://www.RamaKrishnaVivekananda.info માં Complete Works of Swami Vivekananda Vol 1 માં.

  2. Kamlesh Dalal said,

    October 5, 2015 @ 3:30 AM

    આનન્દ આપે

  3. Rajnikant Vyas said,

    October 5, 2015 @ 5:40 AM

    આ સંવાદમાં અષ્ટાવક્ર ગીતાના અધ્યાત્મનું દર્શન થાય છે.

  4. Hemant Vora said,

    October 5, 2015 @ 5:41 AM

    The subject area is of keen interest. Would it be convenient to meet in person for a short meeting? Thanks
    Hemant

  5. Dhaval Shah said,

    October 6, 2015 @ 9:51 AM

    કમનસીબે, અ-મન બહુ વિચાર અને અ-કર્મ બહુ મહેનત માગી લે છે !

  6. dinesh mehta said,

    October 7, 2015 @ 1:25 AM

    Very nice poem

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment