હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.
હરીશ ઠક્કર

કાગળ – રમણીક સોમેશ્વર

કવિતાને મેં
કાગળથી
દૂર જ રાખી
આખરે
કાગળ એટલે તો
મારા ટેબલ ઉપર પડેલી
લંબચોરસ આકૃતિ
ભલે ને પછી
આખી થપ્પી હોય
પણ
અંતે તો એ
ચોક્કસ માપમાં
બંધાયેલો આકાર
અને
જ્યાં જ્યાં આકાર
ત્યાં ત્યાં વિકાર
મારેબચાવી લેવી હતી કવિતાને
બધી જ કુંઠાઓથી
પછી
રહી રહીને મને સમજાયું
કે
કાગળ તો ખરેખર હોય છે
કાગળની બહાર જ
કવિતાની જેમ.

– રમણીક સોમેશ્વર

રમણીક સોમેશ્વરની કાગળ વિશેની આ બીજી કૃતિ. કવિતા ખરેખર કાગળમાં હોય છે? કવિતાને કોઈ પણ પ્રકારનો આકાર આપીએ, અક્ષરોમાં બાંધી પછી એ ખરેખર કવિતા રહે છે ખરી? કે પછી સાચી કવિતા એટલે સર્જકના ભાવપિંડમાં જે અનુભૂતિ થાય છે એ જ ? પ્રસ્તુત રચના સ-રસ રીતે જવાબ આપે છે.

4 Comments »

  1. yogesh shukla said,

    October 1, 2015 @ 1:08 PM

    બહુજ સુંદર રચના ,
    આમ પણ
    કવિ અને રૂપિયા ને બારમો ચંદ્રમાં ,

  2. vijay joshoi said,

    October 1, 2015 @ 8:03 PM

    Visited the site after a long while to find a gem of a poem.
    કાગળ તો ખરેખર હોય છે
    કાગળની બહાર જ
    કવિતાની જેમ.

    so eloquently said – just as it also
    resides in the hollow recesses of the verses.

  3. Rina said,

    October 1, 2015 @ 9:45 PM

    Waaahhh

  4. Harshad said,

    October 2, 2015 @ 6:11 PM

    Beautifully explain the feelings. Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment