પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
વિવેક ટેલર

Zen poem – Foyan

It is as though you have an eye
That sees all forms
But does not see itself.
This is how your mind is.
Its light penetrates everywhere
And engulfs everything,
So why does it not know itself?

-Foyan

[ સરળ કાવ્ય છે તેથી ભાષાંતર નથી કર્યું. ]

અસંખ્ય થોથાંમાં જે વાત કહેવાતી આવી છે તે વાત સાત લીટીમાં કહેવાઈ છે – ઝેન કાવ્યનું આ મુખ્ય લક્ષણ છે. અનાદિકાળથી આ પ્રશ્ન ચિંતકોને કનડતો આવ્યો છે……જે વિચાર કરે છે તે મન, તો મનને કઈ રીતે જાણવું ?? અનંત પ્રશ્ન છે – જો સઘળું ઈશ્વરે સર્જ્યું તો ઈશ્વરને કોણે સર્જ્યો……ઈશ્વરના સર્જનહારને કોણે સર્જ્યો…..etc etc etc

મન શું છે તે જાણ્યા વગર મનની ગતિવિધિ સમજવી કઈ રીતે ?? અને સમજ્યા વગર એને નિયંત્રિત કઈ રીતે કરવી !!?? વ્યવહારમાં મબલખ વપરાતો શબ્દ ‘ધ્યાન’ સાંભળીને ઘણીવાર ખૂબ જ આશ્ચર્ય થાય – લોકો અમુક શારીરિક મુદ્રામાં બેસી આંખો બંધ કરીને એમ માનતા હોય છે કે એ ધ્યાન છે !! એવી પણ માન્યતા છે કે ધ્યાન voluntarily કરી શકાય છે અને કોઈકને શીખવી પણ શકાય છે. ઈચ્છા પ્રમાણે અમુક સમય ધ્યાનમાં બેસી શકાય છે ઈત્યાદી ઈત્યાદી…. ધ્યાન વિષે બે વ્યક્તિવિશેષ દ્વારા આધારભૂત માર્ગદર્શન અપાયું છે – ભગવાન બુદ્ધ અને જે. કૃષ્ણમૂર્તિ . આ વિષય ઘણો બહોળો હોવાથી અહીં તે વિષે વિસ્તૃત વાત નથી કરતો, પરંતુ લોકમાનસમાં ધ્યાન વિષે અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે તે મીનમેખ.

ધ્યાન વિષેની પ્રચલિત વાતો કદીપણ મારે ગળે ઉતરી શકી નથી. જ્યાં સુધી ‘વિચાર’ ના ઉદગમસ્થાનને ભલીભાંતિ સમજી નહિ શકાય ત્યાં સુધી વિચારને નિયંત્રિત કરવાની વાત કઈ રીતે સમજી શકાય ? વિચારના ઉદભવ,તેના વિકાસ અને તેની ગતિને સમજવું અર્થાત મનને સમજવું. જે ક્ષણે મન વિચારશૂન્ય થાય છે [ જેને પ્રચલિત પરિભાષામાં ‘ધ્યાન’ કહેવામાં આવે છે ] ત્યારે ‘મન’ જેવું કંઈ રહે છે ખરું !! શું ખરેખર વિચારશૂન્ય અવસ્થા ક્ષણભર માટે પણ શક્ય છે ખરી ? માની લો કે એવી અવસ્થા શક્ય છે તો તે વખતે ‘મન’ની વ્યાખ્યા શી ? જો રેતીનો એક કણ પણ રહે નહીં તો રણનું અસ્તિત્વ રહે ખરું ?? are thought and thinker different ?

ઉપરના તમામ પ્રશ્નોના જવાબ વ્યક્તિ પોતાની પ્રજ્ઞાના સ્તર અનુસાર જ સમજી શકે.

કાવ્ય માત્ર અંગૂલિનિર્દેશ કરે છે……..

7 Comments »

  1. Rina said,

    July 26, 2015 @ 3:36 AM

    are thought and thinker different ?…. awesome

  2. perpoto said,

    July 26, 2015 @ 5:09 AM

    you may like (Tirtheshbhai) Gateless Gate ,I am reading at this time on zen.There are several thousand books on zen written by western as well as eastern writers as you mentioned rightly.

  3. KETAN YAJNIK said,

    July 26, 2015 @ 7:15 AM

    લયમાં લય તું , તેજમાં તેજ તું , એક તું એક તું

  4. indu shahI said,

    July 26, 2015 @ 11:34 AM

    મન, અમન થશે!!! દ્વૈત્ય નહીં રહે…ક્યારે?? ખુદ ખુદને ઑળખે જવાબ ખુદ પાસે બસ પ્રયત્ન….લગે રહો …

  5. Harshad said,

    July 26, 2015 @ 11:34 AM

    સુન્દર, ગમ્યુ

  6. nehal said,

    July 26, 2015 @ 1:12 PM

    Jo mai na hota to kya hota…….
    Vicharvihin avstha ne vichar thi samjavano prayatna?? Parspar virodhabhasi. Ane jo e avstha kharekhar prapta thay to samjvanu shu and samjavvanu shu ??

  7. વિવેક said,

    July 27, 2015 @ 3:19 AM

    બળકટ રચના અને રસપ્રદ છણાવટ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment