મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

ગીતાંજલિ – 21 -રવીન્દ્રનાથ ઠાકુર

I must launch out my boat.
The languid hours pass by on the shore—Alas for me!

The spring has done its flowering and taken leave.
And now with the burden of faded futile flowers
I wait and linger.

The waves have become clamorous,
and upon the bank in the shady lane
the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon!
Do you not feel a thrill passing through the air
with the notes of the far-away song
floating from the other shore?

~ Rabindranath Tagore

મારે નાવ લઇ નીકળી પડવું જ રહ્યું.
મારી કમબખ્તી ! – ….કે કિનારે સુસ્ત સમય વીતતો જાય છે
વસંત પોતાનો નિખાર ફેલાવી ને ચાલી ગઈ.
અને હવે હું મુરઝાયેલા-વ્યર્થ ફૂલોના ભાર સહ
રાહ જોઉં છું, વ્યર્થ વિલંબ કર્યા કરું છું.

મોજાંઓ હવે ગરજી રહ્યા છે
અને કિનારે છાંયામાં
પીળા પર્ણો ખડખડી અને ખરી રહ્યા છે.

તું કયા ખાલીપાને તાકી રહ્યો છે !
નથી અનુભવી શકતો તું વાયરામાં વહેતો રોમાંચ
દૂરસુદૂરના ગીતના સૂરો સાથેનો
અન્ય કિનારેથી પ્રતરતો ?

-રવીન્દ્રનાથ ઠાકુર

કાવ્યનું માધુર્ય તો અસીમ છે જ કિન્તુ અર્થગહનતા જુઓ ! ભૂતકાળને વળગીને નિ;સાસા નાખતા રહેવું કે એ બધું ખંખેરીને ઉત્સાહભેર આગળ વધવું તે આપણાં જ હાથમાં છે. નિષ્કર્મણ્યતા,અવૈજ્ઞાનિકતા અને અંધશ્રદ્ધા ભારતવર્ષના અત્યંત જૂના અને હઠીલા રોગ છે…..

1 Comment »

  1. Rina said,

    July 19, 2015 @ 4:09 AM

    Beautiful. ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment