શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

કોણ હતું એ ? – કરસનદાસ લુહાર

તળાવનાં પાણીની ઉપર કોનાં છે આ કોરાં કુમકુમ પગલાં ?
પરવાળાની પાનીવંતું કોણ હતું એ કહો, કાનમાં કાંઠે ઊભાં બગલાં

જળ કરતાં જણ હશે પાતળું, ઝળહળ જળળળ જળ-કેડી આ કોરી ?
તળનાં જળને એમ થયું કે આજ સપાટી ઉપર કોઈ ફૂલ રહ્યું છે દોરી ?

લયબદ્ધ છતાં લજ્જાળું કોણે ભર્યાં હળુળુ હવા સરીખાં ડગલાં ?
પરવાળાંની પાનીવંતું કોણ હતું એ – કહો, કાનમાં કાંઠાનાં હે બગલાં !

– કરસનદાસ લુહાર

ફક્ત એક જ અંતરાવાળું અલ્લડ ગીત… તળાવનાં પાણી પર અંકાતા ચિત્રની વાત પણ કેવી અસરદાર ! સાવ ટચુકડા ગીતમાં સતત સંભળાયા કરતો ‘જ’કાર, ‘ળ’કાર અને ‘હ’કાર ગીતનું જળની ગતિ સાથે કેવું સાયુજ્ય સ્થાપે છે !

3 Comments »

  1. ketan yajnik said,

    July 11, 2015 @ 8:37 AM

    ટચૂકડું ખંડકાવ્ય

  2. Dhaval Shah said,

    July 11, 2015 @ 8:53 AM

    વાહ શબ્દોની કુમાશ…વાહ લયની ભીનાશ !

  3. Harshad said,

    July 12, 2015 @ 10:02 AM

    સુન્દર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment