સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી

ગઝલ – નીરજ મહેતા

સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને,
ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને.

આયખું આખું નીરખવામાં વહી જાશે હવે,
એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને.

છે…ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી,
એ જ પીડા – આજે પણ ક્યાં યાદ છે દુષ્યંતને

જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને

કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને

– નીરજ મહેતા

રાજકોટના તબીબ-કવિ ગઝલોનો “ગરાસ” લઈને ઉપસ્થિત થયા છે. કવિના પ્રથમ સંગ્રહમાંથી આ એક સંઘેડાઉતાર ગઝલ… એક-એક શેર અર્થગહન. એક-એક વાત પાણીદાર. કવિ અને સંગ્રહનું બા-અદબ બા-મુલાહિજા સ્વાગત.

5 Comments »

  1. Shanta thanki said,

    May 21, 2015 @ 12:43 AM

    It is nice gazal and when u read it. It makes U think.

  2. Rajnikant Vyas said,

    May 21, 2015 @ 3:12 AM

    ખૂબ સુંદર અને અર્થપૂર્ણ ગઝલ.

  3. yogesh shukla said,

    May 21, 2015 @ 11:39 AM

    કઈ અલગ રચના , બહુજ ગમી ,

  4. Harshad said,

    May 23, 2015 @ 12:09 PM

    Beautiful. Awesome !

  5. Siddharth J Tripathi said,

    May 23, 2015 @ 12:52 PM

    કોઇના આસુથિ જેના ……….
    બહોત ખુબ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment