નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જાય છે પંખી ?
જગદીશ વ્યાસ

આવો – નાઝિર દેખૈયા

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝિર દેખૈયા

શાયરનો ખાસ પરિચય નથી, પણ રચના સશક્ત છે…..

8 Comments »

  1. Bharat Gandhi said,

    March 3, 2015 @ 3:57 AM

    મારેી ભુલ ના થતિ હોય તો આ શાયર શ્રિ દેખૈયા ભાવ્નગર ગુજરાત ના. મારા પાસે તેમનો એક ગઝલ સન્ગ્રહ ચ્હે, જે શોધેી ને વિશેશ માહિતિ લખેી શકેીશ્.

  2. Bharat Gandhi said,

    March 3, 2015 @ 4:01 AM

    શ્રેી દેખૈયા નેી એક વધુ ગઝલ્ઃઃ

    ક્ડવો જિંદગીનો જામ છે
    ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે;
    ગટગટાવે જાઉં છું આરામ છે.
    નાશમાંથી થાય છે સર્જન નવું ;
    મોત એ જીવનનું નામ છે.
    તું નહીં માણી શકે દિલનું દરદ;
    તારે ક્યાં આરંભ કે પરિણામ છે!
    દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ?
    મારે મન તો એ જ તીરથ ધામ છે.
    આછું મલકી લઈ ગયા દિલના કરાર;
    કેવું એનું સિધું સાદું કામ છે!
    છેહ તો તારાથી દેવાશે નહીં;
    ઠારનારા ! એ ન તારું કામ છે.
    ખાકને ‘નાઝિર’ ન તરછોડો કદી;
    જિંદગીનો એ જ તો અંજામ છે.
    -નાઝિર દેખૈયા

  3. Bharat Gandhi said,

    March 3, 2015 @ 4:33 AM

    Yes, I am right on what I said earlier! Late Shri Nazibhai Dekhaiyaa is from Bhavnagar, was working with ” Pathikashram ” the Gujarat Government’s building providing accommodation to visitors. My father Shri Amubhai Gandhi was Vice President of the Bhavnagar District Congress, used to stay at the Pathikashram. Number of times I happen to meet Shri Nazirbhai; but could not realize he is such good Gazal writer! Once he show in my hand Shri Kapapi’s poetry book, that time he introduced me in detail. It was my luck and pleasure to meet him. Shri Nazirbhai presented me with his autograph some of his gazal books. This was in 1969-70. Laystaro members who are interested to read and listen Shri Nazirbhai’s various Gazals, please use Google search! Regards.

  4. ketan yajnik said,

    March 3, 2015 @ 6:51 AM

    આ તો ન્યોછાવર થવાની વાત છે થઇ જાશું ન્યોછાવર

  5. ધવલ said,

    March 3, 2015 @ 8:46 AM

    ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
    સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

    – સરસ !

  6. વિવેક said,

    March 5, 2015 @ 1:39 AM

    મજાની ગઝલ…

  7. Dharmishtha Patel said,

    March 16, 2015 @ 7:57 AM

    Shri Najir Dekhaiya Saheb e aapan ne gujarati varsa sami gazalo aapi chhe.
    Gaganvasi dhara par be ghadi shwaso bhai to jo
    k pachhi
    Hu hathne mara felavu to tari khudai dur nathi…

    aa amar gazalona rachyitane aaje emni punyatithie lakho salam..

  8. Dharmishtha Patel said,

    March 16, 2015 @ 8:02 AM

    ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
    જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

    સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
    ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

    જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
    અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

    નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
    અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

    નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
    વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

    આપ સૌના માટે ફરી એક વાર………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment