એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
હર્ષ બ્રહ્મભટ્ટ

હરી ગયો – નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

– નિરંજન ભગત

કેવું મજાનું પ્રણયગીત ! સરળ બાનીમાં કેવી મજાની કેફિયત !

4 Comments »

  1. KETAN YAJNIK said,

    August 27, 2015 @ 3:45 AM

    અંગ્રેજીના પ્રોફેસર ગુજરાતી પર છવાઈ ગયા
    હરિવર મુજને હરી ગયો

  2. Girish Parikh said,

    August 27, 2015 @ 11:50 AM

    ગુજરાતીમાં સર્જન કરતા મારા પ્રિય સાહિત્યકારોમાં એક છે નિરંજન ભગત. જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળી શકે છે. નિરંજનભાઈ એ માટે યોગ્ય છે.
    આ વિશે વધુ વાંચોઃ http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર.
    –ગિરીશ પરીખ

  3. નોબેલ પ્રાઈઝ મેળવી શકે એવા ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારોઃ ૧ | Girishparikh's Blog said,

    August 27, 2015 @ 12:33 PM

    […] આ અદભુત હરિગીત પોસ્ટ કર્યું છેઃ https://layastaro.com/?p=12590 મારો પ્રતિભાવઃ ગુજરાતીમાં સર્જન […]

  4. Eedudinrindu said,

    October 26, 2015 @ 11:28 AM

    I was struck by the hostney of your posting

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment