જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો,
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સમુદ્રમંથનના રૂપકથી વાત કહી છે કવિએ….. મુખ્ય પંક્તિઓ પાંચમી અને છઠ્ઠી છે – ‘ આગ અને ભીનાશ…’. અદ્વૈતધ્વનિ….

આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય !! આ કાવ્યમાં પણ બે-ત્રણ ગર્ભિત અર્થો છુપાયેલા છે….. દેવ-દાનવે સરળ કર્યો-અર્થાત હળાહળ વિષ જેના ગર્ભમાં હતું તેના જ ગર્ભમાં અમૃત હતું….આગ અને ભીનાશ….ભીંજાવું અને દાઝવું… જે એક લેવા જાય તેને આપોઆપ બીજું મળે જ મળે…..

3 Comments »

  1. Suresh Shah said,

    December 29, 2014 @ 2:11 AM

    હું મરજીવો નથી.
    હું કવિ છું.
    જે છે તે છે કેવળ મારી આંખોમાં.
    આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય.
    સાવ સાચી વાત કહી. કવિના શબ્દો કાંઈ કેટલુય કહી જાય છે – સાંભળો, સમજો તો ઘણુ છે.
    ભીંજાવું અને દાઝવું એ એક જ છે – કેવી વેદના ભરી હશે આ કવિના હ્રદયમાં!

    ખરેખર ભીંજવ્યા અને દઝાડ્યા. આભાર

    સુરેશ શાહ, સિંગાપોર

  2. Dhaval Shah said,

    December 29, 2014 @ 8:50 AM

    કવિકર્મ વિષે ગુજરાતીમાં લખાયેલી શ્રેષ્ટ કવિતા !

  3. ketan yajnik said,

    December 29, 2014 @ 11:12 PM

    વિરહમાં મિલનની શોધ
    ટોળામાં એકલતા અને એકલતામાં। ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment