જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?
ભાવેશ ભટ્ટ

बझम-ए-उर्दू : 04 : अल्लामा इक़बाल

सख्तियाँ करता हूँ दिल पर, ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं , जाहिल हूँ मैं

મારા હૃદય પર હું કડક અંકુશ રાખું છું, અન્યો પરત્વે ક્ષમાશીલ [ ग़ाफ़िल નો એક અર્થ ] છું,
વાહ ! શું વાત કરી તમે ! હું જાલિમ ! અરે હું તો નાદાન છું……

मैं अभी तक था कि तेरी जलवा पैराई न थी
जो नमूदे हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

જ્યાં સુધી મમત્વ-અહં હતો ત્યાં સુધી તારા દર્શન માત્ર થી ભવપાર થઇ જવાની કોઈ શક્યતા જ ન હતી
સત્યના પ્રાકટ્ય સાથે જે નષ્ટ થાય છે તે મિથ્યા અહં છું હું…..

इल्म के दरिया से निकले ग़ोताज़न गौहर बदस्त
वाए महरूमी ! ख़ज़फ चैने लबे साहिल हूँ मैं

જ્ઞાનના સાગરમાંથી મરજીવા હાથમાં મોતી લઇ નીકળ્યા,
હાય દુર્ભાગ્ય ! હું તો કિનારે પડેલું એક ઠીકરું છું….

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफत की दलील
जिसकी ग़फ़लत को मुल्क रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

મારી નામોશી એ જ મારી શરાફતની દલીલ છે
હું એ જ ગાફિલ છું જેની ગફલતને કારણે આખો મુલક રડે છે. [ ગાફિલ અને ગફલત શબ્દના એક થી વધુ અર્થ લઇ શકાય .]

बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

હે અસ્તિત્વની મહેફિલ ! તારી જાહોજલાલી ઉપર તું ગર્વિત ન થા
તું તો મહેફિલની તસ્વીર માત્ર છે – હું મહેફિલ સ્વયં છું.

ढूँढता फिरता हूँ ऐ इक़बाल अपने आप को
आप ही गोया मुसाफ़िर, आप ही मंज़िल हूँ मैं

ઇકબાલ પોતાની જાતને શોધતો ફર્યા કરે છે
હું પોતે જ જેમ કે મુસાફર અને હું પોતે જ મંઝીલ છું.

– अल्लामा इक़बाल

અલ્લામા ઇકબાલ કદાચ ભારતના સૌથી વધુ અવગણના પામેલા શાયર છે – થોડુક એમની કઠિનતાને લીધે અને થોડુક એમની પાકિસ્તાનના સર્જન માટેની તરફદારી ને લીધે . ઇકબાલનું નામ પણ લેવું એ આઝાદીની આસપાસના દાયકાઓમાં politically incorrect ગણાતું . ‘ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ના રચયિતાને ભારતે પ્રયત્નપૂર્વક ભૂલાવી દીધા છે, પરંતુ ‘વોહ શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે…….’

ઇકબાલ એ એક માત્ર શાયર છે કે જેઓ દર્શનની એ ઊંડાઈ ધરાવે છે કે જેથી તેઓ ગાલિબ સામે ટક્કર લઇ શકે. જીતે કોણ તે તો ભાવકો જ નક્કી કરી શકે, પરંતુ મુકાબલો જબરદસ્ત થાય.

ઉપરોક્ત ગઝલમાં અનુવાદ કરવાનો કોઈ જ પ્રયાસ નથી-માત્ર સરળ ગુજરાતી સમજૂતી છે. પ્રત્યેક શેરની ગહેરાઈ જુઓ ! સરળ વાચ્યાર્થ આપ્યા બાદ ખાસ કોઈ ટિપ્પણની જરૂર રહેતી નથી. બીજો, પાંચમો અને છઠ્ઠો શેર આ શાયરને અમર બનાવવા પૂરતા છે.

પાંચમાં શેર ને જરાક માણીએ – અહીં તત્વજ્ઞાનની એક થીઅરી બે જ લીટીમાં કહેવાઈ છે – વિશ્વનું હોવું એ મારા હોવાને secondary છે….. ગાલિબને યાદ કરો – ‘ ન હોતા મૈ તો ક્યાં હોતા ?’

4 Comments »

  1. Dhaval Shah said,

    December 9, 2014 @ 9:10 AM

    बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
    तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

    – સલામ !

  2. વિવેક said,

    December 11, 2014 @ 8:34 AM

    જેવી સુંદર ગઝલ એવી જ મજાની સમજૂતી….

  3. nehal said,

    December 11, 2014 @ 8:35 PM

    Waah….dil ko sukun aa gaya…

  4. narendrasinh said,

    May 2, 2015 @ 3:44 AM

    ખુબ સુન્દર ગઝલ માટે આપને ખુબ ખુબ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment