જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

મારું એકાંત – મકરંદ દવે

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !

બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .

ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !

બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !

– મકરંદ દવે

 

ભગવાન બુદ્ધની મહાભિનિશ્ક્રમણના થોડા દિ પહેલાંની અવસ્થાની આ વાત હોય તેવું નથી લાગતું ! મીરાંબાઈના શબ્દોમાં – આ હંસલાને હવે મોતી ચણવા નથી…..ઊડવું નથી…..કંઈ ગમતું નથી….બસ એકલા બેસીને ગગનને તાકવું ગમે……

3 Comments »

  1. Bhagavati said,

    November 2, 2014 @ 11:34 AM

    વાહ્!! ઉતમ્..

  2. ravindra Sankalia said,

    November 3, 2014 @ 5:44 AM

    એકાન્ત અને એકલતામા ફેર છે એ દર્શાવતુ સરસ ગીત.

  3. NARESH SHAH said,

    November 3, 2014 @ 11:01 AM

    Can you please publish meera-bai’s ” Aa Hansala Ne Moti Have ”
    referenced in your comments?

    Thanks.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment