મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

કહું – હરીન્દ્ર દવે

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

– હરીન્દ્ર દવે

8 Comments »

  1. Rakesh said,

    September 22, 2014 @ 3:03 AM

    વાહ્!

  2. Manish V. Pandya said,

    September 22, 2014 @ 4:40 AM

    સુંદર રચના.

  3. ravindra Sankalia said,

    September 22, 2014 @ 9:19 AM

    ઘણે વખતે હરીન્દ્ર દવેની કવિતા વાન્ચી. વિરહની વ્યથાનુ સરસ વર્ણન.

  4. Dhaval Shah said,

    September 22, 2014 @ 12:54 PM

    વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
    થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

    – સરસ !

  5. Maheshchandra Naik ( Canada) said,

    September 22, 2014 @ 1:41 PM

    સરસ રચના, કવિશ્રી હરીન્દ્રભાઈને શ્રધ્ધાસુમન………………..

  6. yogesh shukla said,

    September 23, 2014 @ 10:26 AM

    વાહ ,…વાહ ,… સુંદર પંક્તિ ,…
    તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
    ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

  7. preetam Lakhlani said,

    September 23, 2014 @ 10:58 PM

    ડાળે એક લીંલુ પાન જોયુ અને કવિ તમે યાદ આવ્યા …..

  8. Rakesh Thakkar, Vapi said,

    September 24, 2014 @ 10:57 PM

    સરસ રચના,
    અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
    તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment