ચામડીમાં વણાઈ એકલતા
હોય ચાદર તો એને ખંખેરું
નયન દેસાઈ

મરજાદીની વાત – જવાહર બક્ષી

ઇચ્છાય વળી મરજાદી ક્યાં ઝટમાં બોલે,
બોલે તોપણ ક્યારે કૈં પરગટમાં બોલે.

ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની,
ઝાંઝર પણ પડઘાઈને ઘૂંઘટમાં બોલે.

ઘરખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે,
આખી રાતનું અંધારું પનઘટમાં બોલે.

લાગણીઓની જાત જનમથી છે મિતભાષી,
વરસે અનરાધાર અને વાછટમાં બોલે.

સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું,
એ ધારી કે કોઈ તો ઉપરવટમાં બોલે.

– જવાહર બક્ષી

મક્તાનો શેર બાકીના શેરની સામે ઝાંખો પડતો લાગ્યો. બાકી સરસ અભિવ્યક્તિઓ સાથે નાજુક રજૂઆત…..

5 Comments »

  1. ધવલ said,

    September 15, 2014 @ 12:31 PM

    લાગણીઓની જાત જનમથી છે મિતભાષી,
    વરસે અનરાધાર અને વાછટમાં બોલે.

    – સરસ !

  2. Maheshchandra Naik ( Canada) said,

    September 15, 2014 @ 3:46 PM

    સરસ રચના…………………

  3. Shah Pravinachandra Kasturchand said,

    September 15, 2014 @ 8:50 PM

    જ્વાહીરોની બક્ષિસ બે હાથ ભરીને આપી.
    ના તોલીને આપી કે જરી માપીને આપી.

  4. રાકેશ કક્કર, વાપી said,

    September 16, 2014 @ 1:10 AM

    વાહ !
    ઇચ્છાય વળી મરજાદી ક્યાં ઝટમાં બોલે,
    બોલે તોપણ ક્યારે કૈં પરગટમાં બોલે.

  5. વિવેક said,

    September 16, 2014 @ 8:27 AM

    સુંદર ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment