સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

ગઝલ – અંકિત ત્રિવેદી

મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.

બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.

– અંકિત ત્રિવેદી

ગાડરિયા પ્રવાહથી અલગ ઊભા રહેવાનો મિજાજ… ભલેને મણકો છું પણ માળામાં નથી પરોવાયો. સ્વયંનિર્ભર, પગભર થઈ માળાની બહાર ઊભો છે. જો કે બીજા જ શેરમાં વળી ઉછીનું લેવાની વાત પણ આના વિરોધાભાસમાં નજરે ચડે છે.

4 Comments »

  1. સુનીલ શાહ said,

    November 15, 2014 @ 2:26 AM

    બહુ જ સુંદર ગઝલ. મત્લાનો અને છેલ્લો શેર વિશેષ ગમ્યા

  2. Dr. Manish V. Pandya said,

    November 15, 2014 @ 9:50 AM

    સુંદર ગઝલ.

  3. yogesh shukla said,

    November 15, 2014 @ 9:03 PM

    સુંદર રચના ,

    બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
    ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

  4. Dhara Dave said,

    November 17, 2014 @ 2:23 AM

    બહુ જ સરસ… સાચી વાત છે.. આમ જ રેહવુ જોઇયે જલ કમલ વત્…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment