હથેળીમાં લખાયેલી મરણની ઘાત ખોટી છે,
છે તારો હાથ એ સાચું, બીજી સૌ વાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

ઝળહળ સવારી નીકળી – શરદ વૈદ્ય

IMG_0369

વાતમાંથી વાત તારી નીકળી,
એ પછી બસ એકધારી નીકળી

આંસુઓના શહેરમાં તડકો બની
પાંપણે ઝળહળ સવારી નીકળી

નીકળ્યું મારી કબરમાંથી નગર
ધારણાં સૌની ઠગારી નીકળી

કેટલું હસતા રહ્યાં પડદા સતત
બારીની સંગત નઠારી નીકળી

– શરદ વૈદ્ય

કવિ એટલે યાદોનો પૂજારી.

લોકો રાજા-મહારાજા કે નેતા-અભિનેતાઓની સવારી કાઢે છે. જ્યારે કવિ યાદોની સવારી કાઢે છે. આંસુના શહેરમાં (કદીક જ આવતો) તડકો બનીને એ ઝળહળ સવારી નીકળે છે અને એ ય પાંપણ પર !

જે વિચાર વધારે ન ફેલાય એ ખાતર કવિને કબર ભેગા કરી દેવાયા તે વિચાર આજે આખા શહેરમાં ફેલાઈ ગયો છે. માણસનું વીતી જવું સહ્ય અને સહજ છે પણ એ હસ્તીના અંતે એક આખી વિચારધારાનો જન્મ થાય એવું સૌભાગ્ય કોઈ કોઈને જ મળે છે.

6 Comments »

  1. વિવેક said,

    August 27, 2014 @ 2:03 AM

    સુંદર રચના અને સમજૂતી… તસ્વીર પણ કાબિલે-દાદ…

  2. Indrajit Khona said,

    August 27, 2014 @ 3:21 AM

    મનની વાત લખી દીધી .

  3. narendrasinh said,

    August 27, 2014 @ 3:39 AM

    સુંદર રચના લાજવાબ્

  4. lata j hirani said,

    August 27, 2014 @ 7:19 AM

    superb..

  5. yogesh shukla said,

    August 27, 2014 @ 8:54 AM

    ખુબજ સુંદર રચના

  6. Devika Dhruva said,

    August 27, 2014 @ 11:35 AM

    યાદોની નાજુક, કોમળ વાત. વાતમાંથી વાતની આ ગઝલ સારી નીકળી. આંસુઓની ધાર તો જોઈ હતી. પણ આ તો સરસ સવારી નીકળી. બહોત ખુબ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment