મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક કાવ્ય – લાભશંકર ઠાકર

નથી નથી
કશુંય સુપથ્ય એવી સમજણ
ખળ ખળ વહ્યા કરે તનમન મહિં-
જ્યારથી આ
ત્યારથી હા
ખોટા ખોટા માણસની ખરી ખરી વાત
ઓગળીને અટકતી
જેના તટ પરે
તારણોની લાશ પછી લાશ બધી
લટકતી
જે
સ્થળ નહિ કાળ નહિ તેવી
આશા અને ભાષા મહિં
.                              બટ-
કતી આમ:
Nothing is more real than nothing.

– લાભશંકર ઠાકર

ખોટા માણસો પાસેથી મળેલા તારણો પર આપણી સમજણ અટકી-લટકી પડે તો કશું સુપથ્ય લાગતું નથી. બટકતી શબ્દને બટકાવીને કવિ કવિતાને અલગ જ ઓપ સાપે છે. Nothingnessની વાત પર તો ગ્રંથોના ગ્રંથ લખાયા છે-લખાશે…

2 Comments »

  1. munira ami said,

    November 22, 2014 @ 3:30 AM

    સરસ !!

  2. ધવલ said,

    November 23, 2014 @ 10:04 PM

    ખરી વાત છે …. હકીકત ભી હકીકતમે ફસાના હી ન હો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment