બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !

રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?
- વિવેક મનહર ટેલર

ધુલામન્દિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

ભજન,પૂજન,સાધના,આરાધના – આ બધું પડ્યું રહેવા દે.
તું શું કરવા બારણાં કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ?
અંધકારમાં છુપાઈને
તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહીં !

તે તો
ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં
બારેમાસ
તેમની સાથે મહેનત મજૂરી કરે છે,
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ ?
અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં,
ધૂળ-માટી લાગે તો ભલે લગતી.
તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા,
અને માથાનો પસીનો પગે ઊતરવા દે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

‘ મુક્તિ ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ? પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ‘ – આ પંક્તિઓ આખા કાવ્યનું હાર્દ છે….. તત્વમસિ…….

5 Comments »

  1. Rajendra Karnik surat said,

    July 13, 2014 @ 7:38 AM

    મુક્તી છે જ ક્યાં પ્રશ્નના ઉત્તરે મુક્તી શોધતા લોકોને મુક્તી આપી દીધી છે.

  2. Nalini said,

    July 13, 2014 @ 8:03 AM

    न धर्मो न चार्थो न कामो न मोक्षः, चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम्

  3. anup desai said,

    July 13, 2014 @ 3:00 PM

    yes. there is mukti artharth moksh. one should keep trying under gidence from guru. now as per my knowledge there is guru. and HE IS H.D.H. PRAMUKHSWAMI MAHARAJ.

  4. Harshad said,

    July 13, 2014 @ 5:47 PM

    Bahut Khub!! Vah Vah….!

  5. chandresh said,

    July 14, 2014 @ 5:09 AM

    સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment