જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
. મરીઝ

શબદ – રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે

ફક્ત એની બાંયો પર જ પહેરી રાખે છે
સચ્ચાઈને આ નવી કવિતા .
[ જલ્દી ખંખેરી નખાય કે બદલી શકાય ને ? ]

એ લખનારો કોઈ માડીનો જાયો
એના એકેય શબદમાં માનતો નથી.
જરા વિચાર તો કરો. એમાંનો એકેય શબદ એણે લખ્યો જ નથી.

એ શબ્દ ક્યાંકની ઉઠાંતરી છે, કે ક્યાંકની કાપેલી કાપલી છે.
કે ક્યાંકથી ચોંટાડેલી ચબરખી છે,
ક્રિયા-પ્રક્રિયામાંથી
પસાર કરેલી સામગ્રી છે,મશીનમાં ઠોકઠાક કરી
ઠીકઠાક કરેલો છે, નવા હેતુ માટે યોજ્યો છે, ઊલ્ટી
કરી ફરી બહાર કાઢ્યો છે કે મુક્ત રીતે વિહરતા
ભાષાના સમૂહમાંથી ફરી ઘડ્યો છે-ત્યાં
ઊભો છે એ એને કવિતામાં કંડારવાની ભીખ માગતો.

– રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે

ઉમાશંકર જોષીએ કહ્યું હતું – ” જે સત્યજ્ન્ય અધિકારથી બાપુ [ ગાંધીજી ] એમ કહી શકે છે કે ‘ મારું જીવન એ જ મારો સંદેશ ‘ એ રીતે આત્મા પર હાથ રાખીને હું એમ જયારે કહી શકીશ કે ‘ મારું જીવન એ જ મારું કવન અને મારું કવન એ જ મારું જીવન ‘ ત્યારે હું સાચો કવિ. ”

ઉઠાંતરીની જે વાત છે તે કેવળ શબ્દો કે શૈલીની ઉઠાંતરીની વાત નથી. એવા અસંખ્ય ઉદાહરણો મળે કે જ્યાં વ્યક્તિનું સર્જન અને વ્યક્તિ પોતે એટલાં બધા ભિન્ન હોય કે ત્યારે એમ ચોક્કસ લાગે કે સર્જનમાંના શબ્દો આ consciousness માંથી તો બહાર કદાપિ ન જ આવ્યા હોઈ શકે. કાવ્ય લખવું એ એક વાત છે અને કાવ્ય પ્રકટવું- કાવ્ય સર્જાવું – કાવ્ય અંદરથી બહાર આવવું એ તદ્દન ભિન્ન વાત છે…..

4 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    June 29, 2014 @ 9:07 AM

    મહદ અંશે સત્ય વદન !
    આવું જ બનતું રહ્યું છે કવિતા-માતાના બદન પર.પણ આતો અર્ધસત્ય જ છે.

    આ જ કવિતા માતાની કૂંખે જન્મ પણ આપ્યો છે મહા કવિ રવીંદ્રનાથને.
    આટલું શું પૂરતું નથી આ મહાન કાવિતા-માતાને આપણે સદા આપણા ગજા પ્રમાણે પૂજતા રહીએ?

    માના બધાં ય સંતાનો ક્યાં મહાન હોય છે?

  2. himanshupatel555 said,

    June 29, 2014 @ 10:29 AM

    આ રહ્યું ઉદાહરણ આપણા જ ઘરમાંઃ-
    પશ્ચિમના મિસીસ બ્રાઉનિંગનું આ સૉનેટ
    If thou must love me, let it be for nought
    Except for love’s sake only. Do not say
    “I love her for her smile… her look… her way
    Of speaking gently… for a trick of thought
    That falls in well with mine, and certes, brought
    A sense of pleasant ease on such a day”—
    For these things in themselves, Beloved, may
    Be changed, or change for thee-and love so wrought,
    May be unwrought so. Neither love me for
    Thine own dear pity’s wiping my cheeks dry—
    Since one might well forget to weep who bore
    Thy comfort long, and lose thy love thereby.
    But love me for love’s sake, that evermore
    Thou may’st love on thorough love’s eternity.
    અને પૂર્વના કવિ કાન્તના આ સૉનેટને સરખાવો:

    સખે! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
    વિના બીજા માટે નહિં જ નહિં આવું મન કહી:
    “સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
    ભરી વાણી માટે અગર દિલના એક સરખા
    તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું !”
    બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય, અથવા
    તને લાગે તેવી; અભિસુખ અને તું પ્રથમથી
    થયો, તે રીતે વિમુખ પણ રે! થાય વખતે!
    અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
    દયા તારી, તેથી પણ નહિં, સખે! સ્નેહ કરતો:
    રહે કાંકે તારી નિકટ, ચિર આશ્વાસન લહે,
    ખુવે તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વિસરતાં!
    ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને:
    ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!
    પશ્ચિમની પીળી પડી ગયેલી અશક્ત સોફાબાઉંડ કવયિત્રી એલીઝાબેથ
    અને
    આપણા કાંતને એક સાથે એક સરખી પ્રેરણા થાય તેની આધ્યાત્મિક અને જ્યોતિષ
    દ્રુષ્ટિ … જેવી કે વીનસનો માર્સને બદલે ટોરસનો સંજોગ નિર્વિચાર સ્થિતિમાં વિશુધ્ધ ચક્રમાં થાય ત્યારે કવિઓને સહજ રીતે સર્વશક્તિમાન કાવ્યો લખાવે છે

  3. Harshad said,

    June 29, 2014 @ 1:33 PM

    Like it and really nicely translated.

  4. વિવેક said,

    July 1, 2014 @ 9:18 AM

    સુંદર મજાની રચના….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment