કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

અવળો હિસાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

-બરકત વિરાણી ‘બેફામ’

2 Comments »

  1. Yogesh Shukla said,

    May 25, 2014 @ 9:02 AM

    અતિ સુંદર , ખાસ કરીને આ શેર બહુજ ગમ્યો ,

    કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
    સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

  2. Sureshkumar G Vithalani said,

    May 28, 2014 @ 10:34 AM

    ” BEFAAM ” IS CERTAINLY ONE OF THE BEST POET/ GAZAL WRITER OF NOT ONLY THE GUJARATI LANGUAGE BUT ALL THE LANGUAGES OF THE WORLD. HE HAS DONE A GREAT SERVICE TO GUJARATI LITERATURE THROUGH HIS WONDERFUL GAZAL WRITING. HIS CONTRIBUTION IS MAGNIFICENT.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment