હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
સુંદરમ્

અંતરાલોક – સમીર રાય ચૌધરી (અનુ. નલિની માંડગાવકર)

શું કોઈ પ્રેમ કરી શકે છે
આ નિર્મળ ઝરણાને કિનારે
એકાકી દેવદાર વૃક્ષ જેવો !
શિયાળુ તડકાને સમગ્ર દેહ પર ચોળવા માગે છે
તેથી ઢગલેઢગલા પાંદડાં ખેરવી શકે ?
હું તો છું ડરપોક શાલવૃક્ષ અને અશ્વત્થવૃક્ષની ડાળી
પાંદડે પાંદડે મારું શરીર ઢંકાયેલું;
કોણ જાણે, કોને ખબર, આખું વરસ શું કામ
આમ પાંદડાં ખરે !

– સમીર રાય ચૌધરી
(અનુ. નલિની માંડગાવકર)

ચંદ પંક્તિઓમાં પ્રણયની કેવી બળકટ ઉત્કટ વાત ! સ્વચ્છ ઝરણાના કિનારે એકલું ઊભેલું દેવદારનું વૃક્ષ શિયાળામાં બધા પાંદડાં ખેરવીને સાવ નગ્ન થઈને એક-એક ડાળ પર તડકા સાથે સંવનન કરવાની હિંમત રાખે છે પણ આવી હિંમત કવિ કરી શકતા નથી.

1 Comment »

  1. Rina said,

    May 30, 2014 @ 6:37 AM

    Ahaaaa….. beautiful. …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment